તેલંગાણા હાઇકોર્ટે (Telangana High Court) 10 વર્ષથી પેન્ડિંગ બે જુનિયર સિવિલ જજ (Civil Judge) વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ નોંધાયેલી FIR રદ કરી છે. બંને જુનિયર ન્યાયાધીશો પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989ની કલમ 3(1)(x) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યુડિશિયલ એકેડમીમાં તેમના રોકાણ દરમિયાન તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને આ દરમિયાન જાતિ આધારિત અપશબ્દોનો (caste-related slurs) ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયમૂર્તિ જે શ્રીનિવાસ રાવની બેન્ચે જણાવ્યું હતું કે આ કેસ બંને આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના જવાબમાં દાખલ કરવામાં આવેલ વળતો હુમલો હોવાનું જણાય છે. હકીકતમાં, બંને આરોપી અરજદાર ન્યાયાધીશોની વર્ષ 2013માં આંધ્ર પ્રદેશ ન્યાયિક સેવા હેઠળ જુનિયર સિવિલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેમને બેંગલુરુમાં તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા.
Telangana High Court quashes FIR against two civil judges in SC/ST Act case
— Bar and Bench (@barandbench) December 24, 2024
Read story here: https://t.co/awep5qJJBA pic.twitter.com/8yTNNsIMHJ
હોસ્ટેલના રૂમમાં કેટલીક ઘટનાઓ બની હતી, જેના કારણે અરજદારોએ જ્યુડિશિયલ એકેડેમીના ડિરેક્ટરને સંપૂર્ણ વિગતો આપતો લેખિત અહેવાલ આપ્યો હતો. આ પછી ફરિયાદ હાઈકોર્ટમાં મોકલવામાં આવી હતી. વિભાગીય તપાસ બાદ, અનુશાસનાત્મક કાર્યવાહીના ભાગરૂપે, હૈદરાબાદ હાઇકોર્ટે વર્ષ 2015માં પ્રતિવાદીને સેવામાંથી દૂર કરવાનો નિર્ણય આપ્યો હતો.
ત્યારબાદ, અરજદારોને જાણવા મળ્યું કે પ્રતિવાદીએ તેમની વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ FIR દાખલ કરી છે. હાઇકોર્ટે શોધી કાઢ્યું હતું કે પ્રતિવાદીએ ફરજ પરથી દૂર કરવાનો આદેશ જારી કર્યા પછી જ એફઆઈઆર દાખલ કરી હતી. કોર્ટે તારણ કાઢ્યું હતું કે બે વર્ષના વિલંબ પછી દાખલ કરવામાં આવેલી એફઆઈઆર, અરજદારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ સામે બદલો લેવા જેવી લાગે છે.