Sunday, May 11, 2025
More

    દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ખુલ્લું મુકાયું દક્ષિણ ગોળાર્ધનું સૌથી મોટું હિંદુ મંદિર: નાયબ રાષ્ટ્રપતિ પોલ માશાટાઇલે કર્યું ઉદ્ઘાટન

    રવિવાર, 2 ફેબ્રુઆરીના રોજ, દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં (Johannesburg, South Africa) સૌથી મોટા હિંદુ મંદિરનું (largest Hindu temple) ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં હજારો હિંદુ ભક્તોએ હાજરી આપી હતી. અહેવાલો અનુસાર, હિંદુ મંદિરનું ઉદ્ઘાટન દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય લોકો માટે એક ઐતિહાસિક ઘટના છે, જેઓ હિંદુ ધર્મનું પાલન જુસ્સાથી કરે છે અને દેશની વસ્તીનો મોટો ભાગ બનાવે છે. દક્ષિણ આફ્રિકાના નાયબ રાષ્ટ્રપતિ પોલ માશાટાઇલે (Paul Mashatile) અનાવરણ કરેલું ભવ્ય મંદિર અને સાંસ્કૃતિક સંકુલ દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટું હોવાનું કહેવાય છે.

    બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) બહુસાંસ્કૃતિક કેન્દ્ર અને મંદિરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરતી વખતે, મશાતિલે જણાવ્યું હતું કે BAPSના સિદ્ધાંતો દક્ષિણ આફ્રિકાના ઉબુન્ટુના (Ubuntu) રાષ્ટ્રીય સિદ્ધાંતો સાથે સુસંગત છે.

    તેમણે કહ્યું, “આપણે રાષ્ટ્ર નિર્માણમાં હિંદુ સમુદાયની ભૂમિકા પર વિચાર કરવો જોઈએ. આ સમુદાય સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને મૂલ્યો ધરાવે છે અને આપણા વૈવિધ્યસભર સમાજના સામાજિક માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.” તેમણે વધુમાં કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાય દ્વારા પાળવામાં આવતા મુખ્ય ધર્મોમાંનો એક હિંદુ ધર્મ છે.

    PM મોદી લઈ ચૂક્યા છે મુલાકાત

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 માં, વડા પ્રધાન મોદીએ બ્રિક્સ બેઠક પહેલા જોહાનિસબર્ગમાં નિર્માણાધીન મંદિર સ્થળની મુલાકાત લીધી હતી અને દક્ષિણ આફ્રિકામાં હિંદુ ધર્મનો પ્રભાવ વધારવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી, જ્યાં લગભગ 2% હિંદુ વસ્તી રહે છે. મંદિરનું બાંધકામ વર્ષ 2011 માં શરૂ થયું હતું અને આ વર્ષે પૂર્ણ થયું. વિશ્વભરના લગભગ 12,500 સ્વયંસેવકોએ મંદિરના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

    વિશ્વભરના સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવેલું, આ મંદિર દક્ષિણ આફ્રિકાના દેશમાં હિંદુ ધર્મ પ્રત્યેના પ્રેમ, પરંપરાઓનું જતન અને આંતર-સાંસ્કૃતિક અને આંતર-ધાર્મિક સંબંધોને વધારવાનું એક કાયમી પ્રતીક છે.