સુપ્રીમ કોર્ટે (Supreme Court) 29 એપ્રિલે ગુજરાતના ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની (Sanjiv Bhatt) 1990ના કસ્ટડી ડેથ કેસમાં આજીવન કેદની સજા ઓછી કરવાનો ઇનકાર કર્યો છે અને જામીન (Bail) આપવાની અરજી નકારી દીધી છે. આ કેસમાં સંજીવ ભટ્ટને અને અન્ય એક પોલીસ અધિકારીને જામનગર સેશન્સ કોર્ટ દ્વારા 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ અરજી પર સુનાવણી કરતાં સંજીવ ભટ્ટને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે કહ્યું કે આ કેસમાં જામીન કે સજા સ્થગિત કરવાની અરજીમાં કોઈ યોગ્યતા નથી. ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ સંજીવ ભટ્ટને જામીન આપવાના પક્ષમાં નથી.
Supreme Court denies bail to former Indian Police Service officer Sanjiv Bhatt#ITVideo #SupremeCourt #SanjivBhatt #Gujarat | @PoojaShali @AneeshaMathur pic.twitter.com/3ooEAPe3n0
— IndiaToday (@IndiaToday) April 29, 2025
આ કેસ 1990નો છે, જ્યારે સંજીવ ભટ્ટ જામનગરમાં એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ASP) તરીકે ફરજ બજાવતા હતા. આ સમયે એક સામ્પ્રદાયિક રમખાણો દરમિયાન 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી વૈશ્ણાની નમક એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જેમના પરિવારે ભટ્ટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
સુનાવણી દરમિયાન સંજીવ ભટ્ટની બાજુથી વકીલ કપિલ સિબ્બલ, દેવદત્ત કામત અને એડવોકેટ રાજેશ જી. ઇનામદાર તેમજ શશવત આનંદે દલીલો કરી હતી, જ્યારે ગુજરાત રાજ્ય તરફથી વરિષ્ઠ વકીલ મનિન્દર સિંઘ અને મૃતકના ભાઈ વતી એડવોકેટ વંશજા શુક્લાએ દલીલો રજૂ કરી હતી.