24 નવેમ્બર 2024ના રોજ સંભલ જામા મસ્જિદના સરવે દરમિયાન થયેલી હિંસાના (Sambhal Violence) આરોપીઓ વિરુદ્ધ પ્રશાસન કડક કાર્યવાહી કરી રહ્યું છે. હિંસામાં સામેલ ઓટો લિફ્ટર ગેંગના સભ્યો શારિક સાઠા (Sharik Satha) અને તેના સાઢુ સિકંદરની (Sikandar) ₹2.31 કરોડની સંપત્તિ જપ્ત (Property Sized) કરવામાં આવી છે.
પ્રશાસને આ કાર્યવાહી 20 એપ્રિલના રોજ કરી હતી. આ કાર્યવાહી રવિવારે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, જ્યારે આરોપીઓની મિલકતોની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે શારિક સાઠાએ તેની બીવી ગુલે રોશનના નામે જ્યારે સિકંદરે તેની બીવી સાજા પરવીનના નામે તુર્તીપુર વિસ્તારમાં એક મુખ્ય સ્થળે 268 ચોરસ મીટર જમીન ગેરકાયદે ખરીદી હતી.
એસપી કૃષ્ણકુમાર વિશ્નોઈએ જણાવ્યા અનુસાર આ સંપત્તિની કિંમત ₹2.31 કરોડ છે. નોંધનીય છે કે મિલકત જપ્ત કરવાનો આદેશ 2011 માં આપવામાં આવ્યો હતો જ્યારે તે બંનેને ગેંગસ્ટર એક્ટ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. હવે, સંભલ હિંસા મામલેની પોલીસની દલીલ બાદ, કોર્ટે જપ્તીનો આદેશ આપ્યો હતો.
આ મિલકત હવે કલમ 15 હેઠળ સરકારને ટ્રાન્સફર કરવામાં આવી છે. એસપીએ કહ્યું કે કલમ 4 હેઠળ, એવી જોગવાઈ છે કે મિલકતનો દાવો કરતી વખતે, તે સાબિત કરવું પડશે કે તેના માટે પૈસા ક્યાંથી આવ્યા. બંને આરોપીઓને ઘણી તકો આપવામાં આવી હતી, છતાં તેઓ જમીન કાયદેસર ખરીદી હોવાનું સાબિત કરી શક્યા નહોતા.
અધિક પોલીસ અધિક્ષક શ્રીશ્ચંદ્રના જણાવ્યા અનુસાર સંભલ હિંસા પાછળ દુબઈમાં છુપાયેલા સાઠાનો જ હાથ છે. તેના બે સાગરિતો મુલ્લા અફરોઝ અને ગુલામની ધરપકડ કરવામાં આવી છે. બંને પાસેથી સાઠા વિશે ઘણી માહિતી મળી છે. 2024થી, સિકંદર દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતો, જેનું 25 માર્ચ 2025ના રોજ તિહાડ જેલમાં અવસાન થયું હતું.