ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના (Ramji Lal Suman) કારણે રાજકારણ ગરમાયેલું છે. હજી તો તેમણે રાણા સાંગા (Rana Sanga) પર આપેલ નિવેદનની આગ ઠંડી નથી પડી ત્યાં તો તેમણે બીજું એક વિવાદિત નિવેદન આપી દીધું છે. રાણા સાંગા પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ કરણી સેના સુમનનો વિરોધ કરી રહી છે.
આ દરમિયાન જ આંબેડકર જયંતિ નિમિત્તે આગ્રાના એસપી કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં રામજી લાલ સુમને કહ્યું કે, “જૂની વાતો ન ઉખાડો. તમે કહો છો કે દરેક મસ્જિદની નીચે એક મંદિર છે, તો અમારે કહેવું પડશે કે દરેક મંદિરની નીચે એક બૌદ્ધ મઠ છે.”
"गड़े मुर्दे मत उखाड़ो, भारी पड़ेगा..हर मंदिर के नीचे एक बौद्ध मठ है…"- सपा सांसद रामजी लाल सुमन #RamJiLalSuman #Agra #News #RanaSanga #KarniSena pic.twitter.com/v5a3F1i53y
— India TV (@indiatvnews) April 15, 2025
તેમણે એમ પણ કહ્યું, “જો તમે કહો છો કે મુસ્લિમોમાં બાબરનો DNA છે, તો તમારામાં કોનું DNA છે? મને એ પણ જણાવો.” આ દરમિયાન તેમણે કરણી સેના પર નિશાન સાધતા કહ્યું કે, “અમે ત્રણ સેના વિશે સાંભળ્યું હતું – વાયુસેના, થલસેના અને નૌસેના. હવે આ નવી સેના આપણી વચ્ચે ઉભરી આવી છે.”
"करणी सेना नकली सेना है…"- सपा सांसद रामजी लाल सुमन #RamJiLalSuman #Agra #News #RanaSanga #KarniSena pic.twitter.com/iKdW43tTAa
— India TV (@indiatvnews) April 15, 2025
સપા સાંસદે કહ્યું, “ચીને આપણી જમીન પર કબજો કરી લીધો છે. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ બતાવે છે. કરણી સેનાના યોદ્ધાઓએ ભારતની સરહદ પર જવું જોઈએ અને આપણને ચીનથી બચાવવા જોઈએ.”
તેમણે કહ્યું કે, “આ લડાઈ એમની સાથે છે જે મુસ્લિમોને બાબરની ઓલાદ કહે છે.” તેમણે આગળ કહ્યું, “સપા પ્રમુખ અખિલેશ યાદવ 19 એપ્રિલે આગ્રા આવી રહ્યા છે. હું તે લોકોને (કરણી સેના) કહેવા માંગુ છું કે મેદાન તૈયાર છે, કરી લઈએ બે-બે હાથ.”