સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને કોંગ્રેસ (Congress) સહિતના વિપક્ષીદળો ભાજપ (BJP) પર પ્રહાર કરવાની કોઈ તક ચૂકી નથી રહ્યા. પરંતુ વિપક્ષી નેતાઓને એ નથી સમજાઈ રહ્યું કે, ભાજપના અંધવિરોધમાં તેઓ સનાતનની (Sanatan) શ્રદ્ધા, આસ્થા અને તેને માનતા કરોડો હિંદુઓનું પણ અપમાન કરી રહ્યા છે.
તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે એક અપમાનજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “…તેમને (ભાજપને) દુર્ગંધ ગમે છે તેથી તેઓ ગૌશાળા બનાવી રહ્યા છે, અમને સુગંધ ગમતી હતી તેથી અમે ઈતર પાર્ક બનાવી રહ્યા હતા. શું સરકાર બળદોને પકડી રહી છે કે નહીં? તેઓ તેના માટેના પૈસા પણ ખાઈ રહ્યા છે.”
#WATCH कन्नौज: समाजवादी पार्टी अध्यक्ष अखिलेश यादव ने कहा, "…ये(भाजपा) दुर्गंध पसंद करते हैं इसलिए गौशाला बना रहे हैं, हम सुगंध पसंद कर रहे थे इसलिए इत्र पार्क बना रहे थे। सरकार सांड पकड़ रही है या नहीं? उसका भी पैसा खा जा रहे हैं।" (26.03) pic.twitter.com/iTEyYd3q9h
— ANI_HindiNews (@AHindinews) March 27, 2025
બીજી તરફ મધ્યપ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. રાજેન્દ્ર કુમાર સિંઘે સાધુઓ, સંતો અને મહામંડલેશ્વરોની તુલના બળદ સાથે કરી દીધી હતી. બુધવારે સતનામાં જિલ્લા સ્તરીય કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠકને સંબોધતા તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
"Hindu saints are like Awara Sand (stray bull)," says Congress leader.
— Mr Sinha (@MrSinha_) March 27, 2025
Not a single day passes without news of Congress leaders abusing Hinduism… pic.twitter.com/DlnQVm0EfP
તેમણે કહ્યું હતું કે, “આમને સાધુ- સંન્યાસી, બાબા-વૈરાગી અને મહામંડલેશ્વરોને છોડી દીધા છે જનતાની વચ્ચે, કે જાઓ પ્રવચન કરો, ભાજપનો પ્રચાર કરો, હિંદુત્વની વાત કરો, સનાતનની વાત કરો અને આ ‘સાંઢ’ ચરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈને.”