Friday, May 16, 2025
More

    પાકિસ્તાનના હુમલાના પ્રયાસ બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની અમેરિકન વિદેશ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત, કહ્યું– કોઈ પણ હુમલાનો જડબાતોડ જવાબ અપાશે

    પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલો વડે હુમલાનો પ્રયાસ કર્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના ફોરેન સેક્રેટરી ઑફ સ્ટેટ (વિદેશ મંત્રી સમકક્ષ) માર્કો રૂબિયો સાથે એક ટેલિફોનિક વાતચીત કરી. 

    આ વાતચીત બાદ તેમણે એક પોસ્ટ કરીને તેની જાણકારી આપી અને જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારના હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. 

    એસ જયશંકરે લખ્યું, “માર્કો રૂબિયો સાથે વાત કરી. આતંકવાદ સામેની ભારતની લડાઈમાં અમેરિકાએ આપેલા સહકાર બદલ આભાર. તેમનને ક્રોસ-બોર્ડર ટેરેરિઝમને નાથવા માટે ભારતે લીધેલાં જવાબદારીપૂર્વકના અને ટાર્ગેટેડ પગલાં વિશે જાણકારી આપી. કોઈ પણ હુમલાના પ્રયાસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.”