પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલો વડે હુમલાનો પ્રયાસ કર્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના ફોરેન સેક્રેટરી ઑફ સ્ટેટ (વિદેશ મંત્રી સમકક્ષ) માર્કો રૂબિયો સાથે એક ટેલિફોનિક વાતચીત કરી.
આ વાતચીત બાદ તેમણે એક પોસ્ટ કરીને તેની જાણકારી આપી અને જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારના હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
Spoke with US @SecRubio this evening.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025
Deeply appreciate US commitment to work with India in the fight against terrorism.
Underlined India’s targeted and measured response to cross-border terrorism. Will firmly counter any attempts at escalation.
🇮🇳 🇺🇸
એસ જયશંકરે લખ્યું, “માર્કો રૂબિયો સાથે વાત કરી. આતંકવાદ સામેની ભારતની લડાઈમાં અમેરિકાએ આપેલા સહકાર બદલ આભાર. તેમનને ક્રોસ-બોર્ડર ટેરેરિઝમને નાથવા માટે ભારતે લીધેલાં જવાબદારીપૂર્વકના અને ટાર્ગેટેડ પગલાં વિશે જાણકારી આપી. કોઈ પણ હુમલાના પ્રયાસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.”