હાલ ભારત અને આતંકી દેશ પાકિસ્તાન (India Pakistan War) વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાયેલી છે. પાકિસ્તાન ભારતના સીમાવર્તી પ્રદેશોમાં સ્માન્યા નાગરિકોને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે, તો ભારત સતત તે કુપ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યું છે. હવે આ બાબતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા એક આધિકારિક વિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
RSSના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેના નામે બહાર પડાયેલ આ વિવેદનમાં કહેવામાં આવ્યું છે, “પહેલગામની કાયરતાપૂર્ણ આતંકવાદી ઘટના પછી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ અને તેમના સમર્થક ઇકોસિસ્ટમ સામે નિર્ણાયક કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) માટે ભારત સરકાર અને સશસ્ત્ર દળોના નેતૃત્વને હાર્દિક અભિનંદન. હિંદુ યાત્રાળુઓના ક્રૂર હત્યાકાંડમાં પીડિત પરિવારો અને સમગ્ર રાષ્ટ્રને ન્યાય અપાવવા માટે લેવામાં આવી રહેલી આ કાર્યવાહીથી સમગ્ર રાષ્ટ્રના આત્મસન્માન અને હિંમતમાં વધારો થયો છે.”
राष्ट्रीय स्वयंसवेक संघ द्वारा जारी किया गया वक़्तव्य –
— RSS (@RSSorg) May 9, 2025
पहलगाम की कायरतापूर्ण आतंकवादी घटना के पश्चात पाक प्रायोजित आतंकवादियों एवं उनके समर्थक पारितंत्र पर की जा रही निर्णायक कार्रवाई “ऑपरेशन सिंदूर” के लिए भारत सरकार के नेतृत्व और सैन्यबलों का हार्दिक अभिनंदन। हिंदू यात्रियों… pic.twitter.com/kThkYmVdLw
આગળ લખ્યું છે, “અમે એમ પણ માનીએ છીએ કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ, તેમના માળખાગત સુવિધાઓ અને સહાયક પ્રણાલી સામે કરવામાં આવી રહેલી લશ્કરી કાર્યવાહી દેશની સુરક્ષા માટે જરૂરી અને અનિવાર્ય પગલું છે. રાષ્ટ્રીય સંકટની આ ઘડીમાં, આખો દેશ તન, મન અને ધનથી સરકાર અને સશસ્ત્ર દળોની સાથે ઉભો છે. અમે ભારતીય સરહદ પર ધાર્મિક સ્થળો અને નાગરિક વસાહતો પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓની નિંદા કરીએ છીએ અને આ હુમલાઓનો ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ.”
અંતમાં કહ્યું કે, “આ પડકારજનક પ્રસંગે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તમામ દેશવાસીઓને સરકાર અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી તમામ માહિતીનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા અપીલ કરે છે. આ સાથે, આ પ્રસંગે, આપણે આપણી નાગરિક ફરજ બજાવતી વખતે, એ પણ ધ્યાન રાખવું પડશે કે આપણે સામાજિક એકતા અને સુમેળને ખલેલ પહોંચાડવાના રાષ્ટ્રવિરોધી પરિબળોના કોઈપણ કાવતરાને સફળ ન થવા દઈએ. બધા દેશવાસીઓને વિનંતી છે કે તેઓ જ્યાં પણ અને ગમે ત્યાં જરૂર પડે ત્યાં સેના અને નાગરિક વહીવટીતંત્રને શક્ય તમામ સહાય પૂરી પાડવા અને રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા જાળવવા માટેના તમામ પ્રયાસોને મજબૂત બનાવવા માટે તૈયાર રહીને પોતાની દેશભક્તિ પ્રદર્શિત કરે.”