30 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. જે અંતર્ગત કોર્ટે કહ્યું કે અનુસ્નાતક તબીબી પ્રવેશ માટે રહેઠાણ આધારિત કોઈ અનામત રહેશે નહીં. કોર્ટે આવી અનામતને (Domicile-based Reservation) ગેરબંધારણીય જાહેર કરી અને તેને બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હૃષિકેશ રોય, સુધાંશુ ધુલિયા અને એસ વી.એન. ભટ્ટીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય ક્વોટાની બેઠકો NEET પરીક્ષામાં મેરિટના આધારે ભરવાની રહેશે.
કોર્ટે કહ્યું હતું કે, “આપણે બધા ભારતના ક્ષેત્રોમાં રહીએ છીએ. જ્યાં પ્રાંતીય કે રાજ્ય નિવાસ જેવું કંઈ નથી. ફક્ત એક જ નિવાસસ્થાન છે. આપણે બધા ભારતના રહેવાસી છીએ. આપણને દેશમાં ગમે ત્યાં રહેઠાણ પસંદ કરવાની અને ગમે ત્યાં વેપાર અને વ્યવસાય કરવાની સ્વતંત્રતા છે.”
#NEETPG
— NEET Predictor (@KumarMa70928441) January 29, 2025
Residence-Based Reservation In PG Medical Courses Impermissible, Violates Article 14 .#BREAKING
Supreme court of India has removed State quota from next year of NEET PG#Supreme_Court #neetpg2025 pic.twitter.com/yEfH6BK1az
કોર્ટે કહ્યું “બંધારણ આપણને ભારતભરની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પસંદ કરવાનો અધિકાર પણ આપે છે. મેડિકલ કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ ચોક્કસ રાજ્યમાં રહેતા લોકોને MBBS કોર્સમાં ચોક્કસ ડિગ્રી સુધી જ મળી શકે છે.”
કોર્ટે આગળ કહ્યું “પરંતુ PG મેડિકલ કોર્સમાં વિશેષજ્ઞ ડોકટરોના મહત્વને જોતાં નિવાસના આધારે ઉચ્ચ સ્તરે અનામત આપવી એ બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન હશે.” જોકે, ડિવિઝન બેન્ચે સ્પષ્ટતા કરી કે આ નિર્ણય પહેલેથી અપાયેલ નિવાસ અનામતને અસર કરશે નહીં.