ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ચૈત્ર રામ નવમી (Chaitra Ram Navami) નિમિત્તે તમામ જિલ્લાના મંદિરોમાં શ્રીરામચરિતમાનસના (Shri Ramcharitmanas) 24 કલાક સતત પાઠનું આયોજન કરવાના નિર્દેશ આપ્યા છે. આ પાઠ 5 એપ્રિલ 2025ના રોજ બપોરે 1 વાગ્યે શરૂ થશે અને 6 એપ્રિલ 2025ના રોજ બપોરે 12 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ લલ્લાના સૂર્ય તિલક સાથે સમાપ્ત થશે.
🚨 Ram Navami will witness 24-hour Continuous recitation of Ramcharit Manas across all 75 districts of UP.
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) March 30, 2025
~ Yogi Adityanath strikes again. The resurgence of Sanatan is unstoppable👏🏼 pic.twitter.com/SHWVhWRxEw
મુખ્યમંત્રીએ અધિકારીઓને આ કાર્યક્રમની તૈયારીઓ એવી રીતે પૂર્ણ કરવા સૂચના આપી છે કે ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં નવરાત્રિ દરમિયાન અવિરત વીજળી પુરવઠો મળે તેવી વ્યવસ્થા હોવી જોઈએ અને મંદિરોની આસપાસ માંસ અને ઈંડાની દુકાનો બંધ રાખવી જોઈએ.
આ ઉપરાંત, ભક્તોની સુવિધા માટે શણની ચટાઈ બિછાવવી, પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને છાંયડા માટે પંડાલ બનાવવા જેવા પગલાં પણ લેવામાં આવશે.