‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’શોમાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી મામલે યુટ્યુબર રણવીર અલાહાબાદિયા (Ranveer Allahabadia) વિરુદ્ધ દેશભરનાં વિવિધ રાજ્યોમાં FIR નોંધાઈ છે. આ ફરિયાદોથી રાહત મેળવવા માટે યુટ્યુબરે સુપ્રીમ કોર્ટના (Supreme Court) દરવાજા ખખડાવ્યા છે.
રણવીરે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ બધી FIRનો એક જ ઠેકાણે સમાવેશ કરવા વિનંતી કરી છે. યુટ્યુબર તરફથી હાજર રહેલા વકીલ અભિનવ ચંદ્રચૂડે CJI સંજીવ ખન્ના સમક્ષ મૌખિક દલીલો રજૂ કરી હતી અને મામલો હાથ પર લેવા માટે અરજ કરી.
#Breaking | YouTuber #RanveerAllahbadia moves to SC after multiple https://t.co/jGd0VNZS0W
— TIMES NOW (@TimesNow) February 14, 2025
Ranveer Allahbadia is seeking primarily the clubbing of the FIRs…: @harishvnair1 joins @Meenakshiupreti with details.@AruneelS shares details with @Meenakshiupreti pic.twitter.com/feifIHoeLv
રણવીર તરફથી વકીલે ગુવાહાટી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં આગોતરા જામીનની માંગ કરી છે. દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ અલ્હાબાદિયાની કાનૂની ટીમને માહિતી આપી કે આ મામલો ટૂંક સમયમાં સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે.
જોકે અરજદારોએ તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી, પરંતુ જસ્ટિસ ખન્નાએ સ્પષ્ટતા કરી હતી કે કેસ માટે તારીખ પહેલાથી જ નક્કી કરવામાં આવી છે અને આ પ્રકારે મૌખિક રજૂઆતોના આધારે કેસ લિસ્ટ કરી શકાય નહીં. વકીલ ચંદ્રચૂડની વિનંતી છતાં કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કાનૂની ટીમને સમયમર્યાદા વિશે વધુ વિગતો માટે કોર્ટ રજિસ્ટ્રીનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.