Friday, May 16, 2025
More

    માથા પર માર્યો ઝંડો, પાઘડી પણ ઉતારી: આતંકી હુમલા વિરુદ્ધની આક્રોશ રેલીમાં રાકેશ ટિકૈતનો વિરોધ, સિંધુ જળ સંધિ સ્થગિત કરવાને ગણાવ્યો હતો ખોટો નિર્ણય

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પહલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ આયોજિત રેલીમાં પહોંચેલા રાકેશ ટિકૈતને લોકોએ ભગાડી દીધા હતા. તેઓ રેલીમાં જોડાયા બાદ ખૂબ ધક્કામુક્કી થઈ ગઈ હતી અને ટિકૈતની પાઘડી પણ ઉછાળી દેવામાં આવી હતી. અહીં જનતાએ ‘રાકેશ ટિકૈત-વાપસ જાઓ’ના નારા પણ લગાવ્યા હતા

    આ ઘટના શુક્રવારે (2 મે, 2025) મુઝફ્ફરનગર શહેરમાં એક જન આક્રોશ રેલીના આયોજન દરમિયાન બની હતી. તે પહલગામ આતંકી હુમલાના વિરોધમાં આયોજિત કરવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. રેલી દરમિયાન કોઈએ રાકેશ ટિકૈતના માથા પર ઝંડો પણ માર્યો હતો. ઘટના બાદ કોઈક રીતે પોલીસ રાકેશ ટિકૈતને લઈ ગઈ હતી.

    રાકેશ ટિકૈત સામે આ વિરોધ પહલગામ હુમલા પરના તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે થયો હતો. પહલગામમાં 26 લોકોના મૃત્યુ બાદ ટિકૈતે કહ્યું હતું કે, ચોર પાકિસ્તાનમાં નહીં પણ આપણી વચ્ચે છે અને આ હુમલાથી આખરે કોને ફાયદો થવાનો છે. તેમણે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણયને પણ ભૂલ ગણાવી હતી. લોકોએ તેનો ભારે વિરોધ કર્યો.