ગુરુવારે (1 મે) રક્ષામંત્રી રાજનાથ સિંઘ (Rajnath Singh) અને અમેરિકાના સેક્રેટરી ઑફ ડિફેન્સ (US Secretary of Defence) (રક્ષામંત્રી સમકક્ષ) પીટ હેગસેથ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી.
રક્ષામંત્રી કાર્યાલયે એક પોસ્ટમાં જણાવ્યું કે, અમેરિકન સેક્રેટરી ઑફ ડિફેન્સે પહલગામમાં થયેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી હતી.
The U.S. Secretary of Defence @PeteHegseth spoke to Raksha Mantri Shri @rajnathsingh earlier today and expressed his deepest sympathies for the tragic loss of innocent civilians in the dastardly terror attack in Pahalgam, Jammu & Kashmir.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 1, 2025
Secretary Hegseth said that the U.S.…
સાથે જણાવવામાં આવ્યું કે, હેગસેથે જણાવ્યું છે કે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઊભું છે અને ભારતના આત્મરક્ષાના અધિકારનું પૂરેપૂરું સમર્થન કરે છે. તેમણે આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈમાં અમેરિકાનું પૂર્ણ સમર્થન પણ જાહેર કર્યું.
વાતચીત દરમિયાન ભારત તરફથી રક્ષામંત્રીએ હેગસેથને જણાવ્યું કે કઈ રીતે પાકિસ્તાન દાયકાઓથી આતંકવાદને પોષતું આવ્યું છે અને આતંકવાદીઓને તાલીમથી માંડીને ફન્ડિંગ પણ કરવામાં આવે છે. તેમણે આવાં આતંકવાદી કૃત્યો વિરુદ્ધ સાથે આવવા માટે વૈશ્વિક સમુદાયને અપીલ કરી હતી.