પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે કુખ્યાત કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે (Mani Shankar Aiyar) ફરી એકવાર હોબાળો મચાવ્યો છે. આ વખતે તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ ગાંધી (Rajiv Gandhi) પર ટિપ્પણી કરી છે. રાજીવ ગાંધીના વડા પ્રધાન બનવા પર આશ્ચર્ય વ્યક્ત કરતા ઐયરે કહ્યું કે તેઓ એક એરલાઇન પાઇલટ હતા અને કેમ્બ્રિજમાં બે વાર નાપાસ (failed Cambridge) થયા હતા. તેમણે કહ્યું કે આવી વ્યક્તિ પીએમ કેવી રીતે બની શકે?
मोदीजी की डिग्री पर ज्ञान देने वाले चमचे
— Hardik Bhavsar (@Bitt2DA) March 5, 2025
वक्त निकाल कर ये भी सुन लो
मणिशंकर साब तो 'होली' से पहले ही जनता को 'गांधी परिवार' के असली "रंग" से वाकिफ करा रहे हैं
आश्चर्य की बात कैम्ब्रिज में दो बार फेल हुए राजीव गांधी प्रधानमंत्री कैसे बने… pic.twitter.com/Rj6xRf9kyH
તેમણે ઉમેર્યું, “ધ્યાન રાખો, કેમ્બ્રિજમાં નાપાસ થવું ખૂબ જ મુશ્કેલ કામ છે… કારણ કે યુનિવર્સિટી ઓછામાં ઓછું દરેક પાસ થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. આમ છતાં, રાજીવ ગાંધી બે વાર નાપાસ થયા. આ પછી તે લંડનની ઇમ્પિરિયલ કોલેજ ગયા અને ત્યાં પણ નાપાસ થયા. પછી મેં વિચાર્યું કે આવી વ્યક્તિ દેશના વડા પ્રધાન કેવી રીતે બની શકે?”
નોંધનીય છે કે મણિશંકર ઐય્યરે દાવો કર્યો હતો કે તેમણે કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથે અભ્યાસ કર્યો હતો.