Tuesday, May 20, 2025
More

    ‘સરકાર ખાનગી ક્ષેત્રના અનામત કરે લાગુ, ક્વોટા પર 50% મર્યાદા કરે દૂર’: રાહુલ ગાંધીએ કેન્દ્રની જાતિગત જનગણનાને સમર્થન આપતા પણ ચલાવ્યો પ્રોપગેન્ડા

    પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે લશ્કરી હુમલાની ચાલી રહેલી અપેક્ષાઓ વચ્ચે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વસ્તી ગણતરી સાથે જાતિગત જનગણના (Caste Census) કરાવવાનું વચન આપતાં દેશને આ દિશામાં એક નવી આશા આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિરોધી પક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સરકારના આ પગલાને સમર્થન આપ્યું અને ખાનગી ક્ષેત્રના ક્વોટાને લાગુ કરવાની માંગ કરી.

    ગાંધીએ એવી પણ માંગ કરી કે અનામત (Reservation) પરની વર્તમાન 50 ટકા મર્યાદા દૂર કરવામાં આવે.

    જાતિગત વસ્તી ગણતરી માટે તેલંગાણા મોડેલનું અનુકરણ કરવાનો પ્રસ્તાવ મૂકતા રાહુલ ગાંધીએ કહ્યું, “તેલંગાણા જાતિગત વસ્તી ગણતરીમાં એક મોડેલ બની ગયું છે. તે રાષ્ટ્ર માટે બ્લુપ્રિન્ટ તરીકે કામ કરી શકે છે.”

    જાતિગત વસ્તી ગણતરી માટે કોંગ્રેસ પાર્ટીના લાંબા સમયથી ચાલતા સમર્થનને પુનરાવર્તિત કરતા, ગાંધીએ બે મુખ્ય માંગણીઓનો પુનરોચ્ચાર કર્યો: 50% અનામત મર્યાદા રદ કરવી અને સ્પષ્ટ, ટાઇમ-બાઉન્ડ રોડમેપ માટે પ્રતિબદ્ધ થવું.

    “અમે સંસદમાં કહ્યું હતું અને અમે તેના પર અડગ છીએ કે અમે જાતિગત વસ્તી ગણતરી કરીશું અને જૂની 50% અનામત મર્યાદા દૂર કરીશું,” તેમણે ભારપૂર્વક જણાવ્યું.