પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવનો માહોલ છે. તેવામાં પાકિસ્તાનના વિવિધ પ્રાંતોની મસ્જિદોના એલાન પણ સામે આવ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાની (Khyber Pakhtunkhwa) એક મસ્જિદના (Masjid) મૌલાના (Maulana) મોહમ્મદ રંગીલાએ એલાન કર્યું છે કે, તેઓ ભારત સાથેની જંગમાં ભારતનો સાથ આપશે. તેમણે પાકિસ્તાની સેના અને પાકિસ્તાની સરકારને આડેહાથ લીધી હતી.
મૌલાનાનો વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, “હું કુરાનની કસમ ખાઈને કહ્યું છું કે, જો હિન્દુસ્તાનની સેનાએ પાકિસ્તાન પર હુમલો કર્યો તો અમે તેનો (ભારતનો) સાથે આપીશું.” નોંધનીય છે કે, ખૈબર પખ્તૂનખ્વા તે જ વિસ્તાર છે, જ્યાં તહેરીક-એ-તાલિબાનનું રાજ ચાલે છે. પાકિસ્તાની સેના અહીં અવારનવાર લોકો પર હિંસા આચરે છે. કારણ કે, અહીં રહેતી પ્રજા મૂળ પશ્તુન છે.
પશ્તુન સમુદાયના લોકો અઘનિસ્તાનમાં રહે છે પણ ખૈબર પખ્તૂનખ્વામાં પણ મોટાભાગની આબાદી પશ્તુન છે. આઘાનિસ્તાન ખૈબર પખ્તૂનખ્વાને પોતાનો ભાગ ગણાવે છે અને ત્યાંની આબાદી પણ પોતાને અફઘાની ગણાવે છે. આ જ કારણ છે કે, પાકિસ્તાની સેના અને સરકાર વિરુદ્ધ તેમનો રોષ જોવા મળે છે. તે જ રોષ બલૂચિસ્તાનમાં પણ છે અને સિંધ પ્રાંતમાં પણ છે.
لال مسجد کے مولانا عبدالعزیز غازی کا خطاب سنئیے جس میں وہ کہتے ہیں کہ پاکستان کی لڑائی قومیت کی لڑائی ہے اسلام کی نہیں اور پاکستان میں بھارت سے زیادہ ظلم ہے وغیرہ وغیرہ۔ ریاست کے وہ کارندے غور سے سُنیں جو ان حضرات کی سرپرستی کرتے ہیں اور سیکولر پاکستانیوں کو خطرہ سمجھتے ہیں۔ pic.twitter.com/l9Or4OJWHl
— Husain Haqqani (@husainhaqqani) May 4, 2025
ખૈબર પખ્તૂનખ્વા તો ઠીક પણ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની એક મસ્જિદમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. મસ્જિદના મૌલાનાએ ખીચોખીચ ભરેલી મસ્જિદમાં પૂછ્યું કે, પાકિસ્તાન તરફથી જંગ લડવા માટે કેટલા તૈયાર છે, તેઓ હાથ ઊંચો કરે. પરંતુ બે ઘડી માટે મસ્જિદમાં સન્નાટો છવાઈ ગયો. કારણ કે, કોઈએ હાથ ઊંચો ન કર્યો