27 એપ્રિલે યોજાયેલા ‘ઓલ આઈઝ ઓન પહલગામ’ પ્રદર્શનમાં હજારો ભારતીય સમુદાયના લોકોએ ભાગ લીધો હતો. પ્રદર્શનકારીઓએ તિરંગો લહેરાવ્યો અને પીડિતોની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવી હતી. આ દરમિયાન, પાકિસ્તાની સમુદાયે ભારત વિરુદ્ધ ‘પ્રોપેગેન્ડા’ ફેલાવવાનો આરોપ લગાવ્યો, પરંતુ ભારતીય પ્રદર્શનકારીઓની સંખ્યા અને જોશ સામે તેમનું પ્રદર્શન ઝાંખું રહ્યું.
આ પ્રદર્શન દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ તેમજ ‘પાકિસ્તાન આતંકવાદ બંધ કરો’ જેવા નારા લાગ્યા હતા.
ભારતીય ડાયસ્પોરાના એક સભ્યએ કહ્યું, “જે બન્યું તેનાથી અમે ખરેખર દુઃખી છીએ અને તેથી જ અમે અહીં વિદેશમાં રહેતા અમારા ભારતીય સમુદાયને ટેકો આપવા આવ્યા છીએ. અમારુ હૃદય હંમેશા અમારી માતૃભૂમિ સાથે છે. આવી ઘટનાઓ વારંવાર બની રહી છે અને તેનાથી અમને દુઃખ થાય છે. અમે અહીં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ…”
#WATCH | London, UK | A member of the Indian diaspora says, "We are really saddened by what has happened, and that is why we have come here to support our Indian community that lives abroad. Our hearts are always with our motherland. Such incidents are happening again and again,… https://t.co/NF4SgVUqfy pic.twitter.com/Cd397TweNC
— ANI (@ANI) April 27, 2025
ભારતીય સમુદાયે પાકિસ્તાનના આતંકવાદી સમર્થન અને હુમલાની જવાબદારી લેનાર લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટની (TRF) કડક ટીકા કરી હતી. નોંધનીય છે કે 25 એપ્રિલે પણ લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર ભારતીય ડાયસ્પોરાએ પ્રદર્શન કર્યું હતું.
લંડન ઉપરાંત, યુકેના માન્ચેસ્ટર, એડિનબર્ગ અને બેલફાસ્ટમાં પણ ભારતીય ડાયસ્પોરાએ સમાન પ્રદર્શનો યોજ્યાં. આ પ્રદર્શનોમાં ‘આતંકવાદ બંધ કરો’ જેવા સંદેશાઓ સાથે પ્લેકાર્ડ્સ અને બેનરો જોવા મળ્યાં હતા. નોંધનીય છે કે અમેરિકામાં પણ ભારતીય ડાયસ્પોરાએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.