ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રયાગરાજ પહોંચ્યા છે. અહીં તેમણે મહાકુંભમાં સંગમ સ્નાન કર્યું છે. આ પહેલાં વડાપ્રધાન મોદીએ પણ સંગમ સ્નાન કર્યું હતું. આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કુંભમાં સ્નાન કરનારા બીજા રાષ્ટ્રપતિ બની ગયા છે. આ પહેલાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કુંભમાં સ્નાન કર્યું હતું.
વધુમાં જાણવા મળ્યું છે કે, તેઓ સંગમ સ્નાન કરીને અક્ષયવટ અને બડે હનુમાનજી મંદિરમાં દર્શન અને પૂજન-અર્ચન પણ કરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિની મુલાકાતને જોતાં પ્રયાગરાજમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
#WATCH | Prayagraj, UP: President Droupadi Murmu takes a holy dip at Triveni Sangam during the ongoing Maha Kumbh Mela. pic.twitter.com/2PQ4EYn08b
— ANI (@ANI) February 10, 2025
રાષ્ટ્રપતિ દ્વારા રવિવારે (9 ફેબ્રુઆરી) જારી કરવામાં આવેલા એક આધિકારિક નિવેદનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 8 કલાકથી પણ વધુ સમય સુધી પ્રયાગરાજમાં રહેશે.