બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) તેના જોડિયા બાળકોનો (children) ઉછેર હિંદુ પરંપરાઓ (Hindu traditions) અનુસાર કરી રહી છે. તાજેતરમાં એક ચાહકે તેના બાળકો વિશે એક પ્રશ્ન પૂછ્યો, જેના જવાબમાં અભિનેત્રીએ આ સ્પષ્ટતા કરી હતી.
પ્રીતિ ઝિન્ટાએ લખ્યું, “માતા બન્યા પછી અને વિદેશમાં રહ્યા પછી પણ, હું ખાતરી કરવા માંગુ છું કે મારા બાળકો એ ન ભૂલી જાય કે તેઓ અડધા ભારતીય છે. મારા પતિ નાસ્તિક હોવાથી, અમે અમારા બાળકોને હિંદુ તરીકે ઉછેરી રહ્યા છીએ.” પ્રીતિ ઝિન્ટા પોતાના બાળકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવા માંગે છે.

તેમણે આગળ લખ્યું, “મારા બાળકોને તેમના મૂળ સાથે જોડવાનો અને તેમને ધર્મ વિશે શીખવવાનો મને ગર્વ છે. મારે કોણ છું તેનો જવાબ આપતા રહેવું પડશે… પણ હવે આગળ વધવાનો સમય આવી ગયો છે…”
ઉલ્લેખનીય છે કે ભારતીય અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ 29 ફેબ્રુઆરી 2016ના રોજ પોતાના બોયફ્રેન્ડ જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી, અભિનેત્રી અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે. જોકે, પ્રીતિ ઝિન્ટા ઘણીવાર IPL સીઝન દરમિયાન ભારત આવે છે. વર્ષ 2021માં, આ દંપતીએ સરોગસી દ્વારા તેમના જોડિયા બાળકો જય અને જીયાને જન્મ આપ્યો હતો.