Wednesday, May 14, 2025
More

    પૉપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ: લાંબા સમયથી બીમારીનો કરી રહ્યા હતા સામનો

    હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે, પૉપ ફ્રાન્સિસનું (Pope Francis) નિધન (Died) થયું છે. જાણવા મળી રહ્યું છે કે, વેટિકન સિટીમાં તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા અને સારવાર હેઠળ હતા. જે બાદ હવે તેમનું અવસાન થયું છે. વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયના લોકો માટે આ દુઃખની ઘડી છે.

    પૉપ ફ્રાન્સિસને તાજેતરમાં જ ન્યુમોનિયાની ફરિયાદ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર વેટિકન સિટીથી આપવામાં આવ્યા છે. ફ્રાન્સિસની ઉંમર 88 વર્ષની હતી. ઘટનાના એક દિવસ પહેલાં જ તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને મળ્યા હતા. હાલ વેન્સ પણ ભારતની યાત્રા પર છે.

    પૉપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચાર બાદ 1.4 અબજ કેથલિક ખ્રિસ્તીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુડ ફ્રાઈડેના દિવસથી તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને સોમવારના (21 એપ્રિલ) રોજ તેમનું અવસાન થયું હતું.