Saturday, March 8, 2025
More

    ‘વિકાસમાં ભારતને ન હરાવું તો બદલી નાખજો મારુ નામ…’: કંગાળ પાકિસ્તાનના PMએ ‘ખુદાની કસમ’ ખાઈને આપ્યું હાસ્યાસ્પદ નિવેદન

    બધી રીતે કંગાળ થઈને દુનિયા આખીમાં ભીખ માંગતા પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે ભારતને લઈને હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે POKના મુઝફ્ફરબાદમાં રેલીને સંબોધિત કરીને ફાંકા-ફોજદારી કરી છે, જેથી કરીને લોકો કામના હિસાબ માંગવાની જગ્યાએ હંમેશાની જેમ ભારતને પાડી દેવાના વિચારોમાં ગરકાવ થઈ જાય અને આખો મુલક ખાડે જાય.

    મુઝફ્ફરબાદમાં રેલીને સંબોધતા વખતે પાકિસ્તાનના PMએ ‘ખુદાની કસમ’ ખાઈને કહ્યું કે, “હું ભારતને ન હરાવું તો મારુ નામ બદલી નાખજો.” જોકે, તેમણે યુદ્ધમાં હરાવવાની વાત નથી કરી. પરંતુ તેમણે, દેશના વિકાસ મુદ્દે આવું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. બૂમો પાડી-પાડીને તેઓ બોલ્યા છે.

    ખૂબ જ આક્રમક રીતે તેમણે ભાષણમાં કહ્યું કે, “જઓ વિકાસ મામલે પાકિસ્તાન હિન્દુસ્તાનથી આગળ ન નીકળે તો મારુ નામ શાહબાઝ શરીફ નહીં રહે.” આ સાથે તેમણે પાકિસ્તાનને ‘મહાન’ દેશ બનાવવા માટેની કસમ પણ ખાધી હતી. સોશિયલ મીડિયા પર તે વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.