Wednesday, May 14, 2025
More

    ‘માનવતાને સમર્પિત આ પર્વ વિકસિત ભારતના સંકલ્પને આપશે નવી શક્તિ: PM મોદીએ દેશવાસીઓને આપી અક્ષય તૃતીયાની શુભકામનાઓ

    દેશમાં અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુઓમાં પવિત્ર ગણાતા આ તહેવારને લઈને દેશભરમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. હવે વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ દેશવાસીઓને અક્ષય તૃતીયાની (Akshaya Tritiya) શુભકામનાઓ આપી છે. તેમણે વિકસિત ભારતના સ્વપ્નને પણ ઉજાગર કર્યું છે અને પવિત્ર તહેવાર પર દેશવાસીઓની સુખાકારી માટેની કામના પણ કરી છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને શુભકાનાઓ આપી છે. તેમણે લખ્યું કે, “આપ તમામને અક્ષય તૃતીયાની અનંત શુભકામનાઓ. માનવતાને સમર્પિત આ પાવન પર્વ દરેક માટે સફળતા, સંપન્નતા અને પ્રસન્નતા લઈને આવે, જે વિકસિત ભારતના સંકલ્ને નવી શક્તિ પ્રદાન કરે.”

    નોંધનીય છે કે, અક્ષય તૃતીયાને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર હિંદુ અને જૈન સમાજના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો માતા લક્ષ્મીનું પૂજન કરે છે અને સોનાની ખરીદી પણ કરે છે. વધુમાં બેન્કને લગતા કામો પણ કરવામાં આવે છે. હિંદુ ધર્મગ્રંથો અનુસાર, આ દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીને અક્ષય પાત્ર ભેટ કર્યું હતું. આ સાથે જ પરશુરામના જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.