વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (30 માર્ચ) મહારાષ્ટ્રના નાગપુર પહોંચ્યા હતા. અહીં તેમણે ‘માધવ નેત્રાલય કેન્દ્ર’નો શિલાન્યાસ કર્યો. દરમ્યાન સંબોધનમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે અમુક અગત્યની વાત કહી.
#WATCH | Nagpur, Maharashtra | PM Narendra Modi says, "…The ideas that were seeded a hundred years back are before the world like a 'vat vriksh' today. Principles and ideologies give it heights and the lakhs and crores of swayamsevak are the branches of it. It is not a simple… pic.twitter.com/vpJ13yrDbf
— ANI (@ANI) March 30, 2025
પીએમ મોદીએ કહ્યું કે, ડૉ. હેડગેવાર અને એમએસ ગોળવેલકર જેવા હિંદુ અગ્રણીઓએ સો વર્ષ પહેલાં રાષ્ટીય ચેતનાના સંવર્ધન અને વિકાસ માટે જે વિચારબીજ વાવ્યું હતું એ આજે મહાન વટવૃક્ષ બની ગયું છે અને સંઘ એ કોઈ સામાન્ય સંગઠન નહીં પરંતુ ભારતની અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે.
વડાપ્રધાને ઉમેર્યું કે, “સિદ્ધાંત અને આદર્શ આ વટવૃક્ષને ઊંચાઈ આપે છે. લાખો-કરોડો સ્વયંસેવક તેની શાખાઓ છે. આ કોઈ સાધારણ વટવૃક્ષ નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતની અમર સંસ્કૃતિનું આધુનિક અક્ષય વટ છે. આ અક્ષય વટ ભારતીય સંસ્કૃતિને, રાષ્ટ્રની ચેતનાને નિરંતર ઉર્જાવાન બનાવી રહ્યો છે.”