તાજેતરમાં જ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) હરિયાણાની (Haryana) ભાજપ સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો કે તે યમુનાના પાણીમાં ઝેર (Poison) ભેળવી રહી છે. ત્યારે આ મામલે PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કેજરીવાલને આડેહાથ લીધા છે.
PM મોદી દિલ્હીના કરતાર નગરમાં ‘સંકલ્પ રેલી’માં સંબોધન કર્યું હતું. દરમિયાન તેમણે કહ્યું હતું કે, “દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ હરિયાણાના લોકો પર ઘૃણાસ્પદ આરોપો લગાવ્યા છે. ‘આપદા’ના લોકો હારના ડરથી ગભરાઈ ગયા છે. શું હરિયાણાના લોકો દિલ્હીના લોકોથી અલગ છે? “
Delhi: PM Narendra Modi says, "Those who are abroad, at embassies around the world, they drink the same water. Even near the homes of the poor, the same water is found. Can anyone even think, did the Haryana BJP government poison the water to harm Modi? What are they saying? Was… pic.twitter.com/3VZVKjT8h9
— IANS (@ians_india) January 29, 2025
તેમણે કહ્યું હતું કે “શું હરિયાણામાં રહેતા લોકોના કોઈ સગાં દિલ્હીમાં નથી રહેતા? શું હરિયાણાના લોકો પોતાના જ લોકોના પીવાના પાણીમાં ઝેર ભેળવી શકે છે? હરિયાણા દ્વારા મોકલવામાં આવેલું પાણી દિલ્હીમાં રહેતા દરેક વ્યક્તિ પીવે છે, જેમાં વડાપ્રધાન પણ સામેલ છે.”
Delhi: PM Narendra Modi says, "This is not the insult of Haryana, this is the insult of Indians, of our values, and of our character. This is a country where providing water is considered a virtue, where there is a tradition of hospitality. In this country, there are people who… pic.twitter.com/Kf20LZxjKz
— IANS (@ians_india) January 29, 2025
તેમણે આગળ કહ્યું હતું કે “આપદાવાળા કહે છે કે હરિયાણાના લોકો દિલ્હી મોકલવામાં આવતા પાણીમાં ઝેર ભેળવે છે. આ ફક્ત હરિયાણાનું જ નહીં પરંતુ બધા ભારતીયોનું અપમાન છે. આપણો દેશ એક એવો દેશ છે જ્યાં પીવાનું પાણી પૂરું પાડવું એક સારું કામ માનવામાં આવે છે.”
PM મોદીએ કહ્યું કે, “તેમને હારનો એટલો ડર છે કે કંઈ પણ બોલી રહ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દિલ્હી આવી વાતો કરનારાને પાઠ ભણાવશે. ‘આપ લોગો કી લુટીયા યમુના મેં હી ડૂબેગી’ (AAPની હોડી યમુનામાં જ ડૂબશે).”