વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (2 મે) કેરળની યાત્રાએ હતા. અહીં તિરુવનંતપુરમના એક કાર્યક્રમમાં તેમણે વિંઝિજામ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું. જ્યાં સંબોધન પણ કર્યું. અહીં તેમણે વિપક્ષોને ટોણો મારતા એક રમુજી ટિપ્પણી પણ કરી.
પીએમ મોદીએ કહ્યું, “હું મુખ્યમંત્રીજીને (કેરળના સીએમ પિનરાઈ વિજયન) કહેવા માગું છું કે તમે INDI ગઠબંધનના મજબૂત સ્તંભ જેવા છો. અહીં શશિ થરૂર પણ બેઠા છે અને આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ હરામ કરી નાખશે.”
Kerala: Prime Minister Narendra Modi says, "I would also like to say to the Chief Minister, you are a very strong pillar of the INDI alliance. Shashi Tharoor is also seated here. And today’s event is going to leave many people sleepless…" pic.twitter.com/0OX0JMrv4P
— IANS (@ians_india) May 2, 2025
આગળ તેમણે કહ્યું, “મીડિયાના લોકોએ એક વાત નોંધી હશે. જ્યારે પોર્ટ મિનિસ્ટર ભાષણ આપી રહ્યા હતા તો તેમણે અદાણીનો ઉલ્લેખ કરીને કહ્યું કે અમારી સરકારના પાર્ટનર. આ કોમ્યુનિસ્ટ સરકારના મંત્રી બોલી રહ્યા છે, પ્રાઇવેટ સેક્ટર માટે…કે અમારી સરકારના પાર્ટનર…આ બદલાતું ભારત છે.”
ઉલ્લેખનીય છે કે આ પોર્ટ અદાણી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. કેરળ સરકાર અને ઉદ્યોગ સમૂહ વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીના કાર્યક્રમમાં ગૌતમ અદાણી પણ સામેલ થયા હતા.