ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુરુવાર, 3 જુલાઈ, 2025ના રોજ ઘાનાની સંસદને (Ghana Parliament) સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ઘાનાના ઉષ્માભર્યા સ્વાગત, વૈશ્વિક નેતૃત્વ અને લોકશાહી દ્રઢતા સાથે ભાગીદારી વિશે વાત કરી.
સંસદને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “મને ઘાનાની ભૂમિ પર આવવાનો ગર્વ છે. ઘાના લોકશાહી, પ્રતિષ્ઠા અને હિંમતથી ભરેલો દેશ છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે, હું તમને 140 કરોડ ભારતીયો વતી અભિનંદન આપું છું.” લોકશાહી વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, “ભારત લોકશાહીની માતા છે. લોકશાહી અમારા માટે માત્ર એક વ્યવસ્થા નથી, પરંતુ અમારી સંસ્કૃતિનો એક ભાગ છે.”
#WATCH | Addressing the Parliament of the Republic of Ghana, PM Narendra Modi says, "India is the mother of democracy. For us, democracy is not merely a system; it is a part of our fundamental values…India has over 2,500 political parties, 20 different parties governing… pic.twitter.com/9jCGlQUnfI
— ANI (@ANI) July 3, 2025
પોતાના ભાષણ દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ ઋગ્વેદના એક શ્લોક દ્વારા લોકશાહીની ઊંડાઈ અને પ્રાચીનતા વિશે વાત કરી. તેમણે કહ્યું, “ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે – ‘સંગચ્છધ્વમ સંવાદધ્વમ સમ વો માનંસિ જન્તામ’ – એટલે કે, આપણે સાથે ચાલવું જોઈએ, સાથે બોલવું જોઈએ અને આપણા મન સમાન હોવા જોઈએ.”
પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના સૌથી પ્રાચીન વેદોમાંના એક, ઋગ્વેદમાં લખ્યું છે કે સારા વિચારો તમારા મનમાં આવવા દો. ઋગ્વેદનો આ વિચાર લોકશાહીનો મુખ્ય મુદ્દો છે.