23 જાન્યુઆરીના દિવસે દેશ ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી કરી રહ્યો છે. મોદી સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું, ત્યારથી દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ ગુરુવારે (23 જાન્યુઆરી) X પર એક પોસ્ટ કરીને લખ્યું, “પરાક્રમ દિવસે હું નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરું છું. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમનું યોગદાન અતુલનીય હતું. તેઓ શૌર્ય અને સાહસના પ્રતીક હતા. તેમનું વિઝન નવા ભારતના નિર્માણમાં આપણને માર્ગદર્શન આપતું રહેશે.”
Today, on Parakram Diwas, I pay homage to Netaji Subhas Chandra Bose. His contribution to India’s freedom movement is unparalleled. He epitomised courage and grit. His vision continues to motivate us as we work towards building the India he envisioned. pic.twitter.com/HrXmyrgHvH
— Narendra Modi (@narendramodi) January 23, 2025
ભૂતકાળની સરકારોમાં નેતાજી અને વીર સાવરકર જેવા નેતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું, પરંતુ વર્ષ 2021માં મોદી સરકારે નેતાજીના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2022માં દિલ્હીના કર્તવ્ય પથ ઉપર નેતાજીની એક ભવ્ય પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું.