19 ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ‘શિવજયંતિ’ તરીકે તેને ઉજવવામાં આવે છે અને શિવાજી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. આ જ અનુક્રમે PM મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓએ પણ શિવાજી મહારાજની જન્મજયંતિ પર શુભકામનાઓ પાઠવી છે.
PM મોદીએ એક વિડીયો ટ્રિબ્યુટ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કર્યો છે અને સાથે કેપશનમાં લખ્યું છે કે, “હું છત્રપતિ શિવાજી મહારાજની તેમની જયંતી પર નમન કરું છું.” વધુમાં તેમણે કહ્યું છે કે, “તેમની વીરતા અને દૂરદર્શી નેતૃત્વએ સ્વરાજ્યનો પાયો નાખ્યો હતો.”
छत्रपती शिवाजी महाराज यांच्या जयंतीनिमित्त मी त्यांना अभिवादन करतो.
— Narendra Modi (@narendramodi) February 19, 2025
त्यांच्या पराक्रमाने आणि दूरदर्शी नेतृत्वाने स्वराज्याची पायाभरणी केली, ज्यामुळे अनेक पिढ्यांना धैर्य आणि न्यायाची मूल्ये जपण्याची प्रेरणा मिळाली. ते आपल्याला एक बलशाली, आत्मनिर्भर आणि समृद्ध भारत घडवण्यासाठी… pic.twitter.com/zu0vLviiPf
તેમણે વધુમાં લખ્યું છે કે, “તેમણે ઘણી પેઢીઓને સાહસ અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખવા માટે પ્રેરિત કરી છે.તેઓ આપણને એક સશક્ત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે.”
તે સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ શુભકામનાઓ આપી છે. તેમણે લખ્યું છે કે, “તેમની શાસન વ્યવસ્થા તેમના વિજયો જેટલી જ ઉલ્લેખનીય છે, જે આજે પણ પેઢીઓને પ્રેરિત કરે છે. એક ઉદાર શાસક અને કુશળ રણનીતિકાર, હિંદવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ પર તેમને કોટિ-કોટિ પ્રણામ.”
His governance was as remarkable as his conquests, still inspiring generations. On his Birth Anniversary, salutations to a benevolent ruler and a master strategist, the Founder of Hindavi Swarajya, Chhatrapati Shivaji Maharaj!
— Devendra Fadnavis (@Dev_Fadnavis) February 19, 2025
यशवंत, कीर्तिवंत, सामर्थ्यवंत, वरदवंत, पुण्यवंत,… pic.twitter.com/RnxzygKa83
આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ શુભકામનાઓ આપી છે. તેમણે વિડીયો પોસ્ટ કરીને કેપશનમાં લખ્યું છે કે, “‘હિંદવી સ્વરાજ્ય’નો ઉદઘોષ કરનારા છત્રપતિ શિવાજી મહારાજ જીવનનીતિ, કર્તવ્ય અને ધર્મપરાયણતાનો સંગમ હતા. કટ્ટરપંથી આક્રાંતાઓ વિરુદ્ધ જીવનભર સંઘર્ષ કરીને સનાતન સ્વાભિમાનના ધર્મધ્વજ રક્ષક છત્રપતિ શિવાજી મહારાજની એક રાષ્ટ્રનિર્માતા તરીકે હંમેશા સ્મરણીય રહેશે.”
‘हिंदवी स्वराज्य’ का उद्घोष करने वाले छत्रपति शिवाजी महाराज जी का जीवन नीति, कर्त्तव्य और धर्मपरायणता का संगम था। कट्टरपंथी आक्रांताओं के विरुद्ध जीवनपर्यंत संघर्ष कर सनातन स्वाभिमान के धर्म ध्वज रक्षक छत्रपति शिवाजी महाराज जी एक राष्ट्रनिर्माता के तौर पर सदैव स्मरणीय रहेंगे।… pic.twitter.com/tYS9vknrCf
— Amit Shah (@AmitShah) February 19, 2025
વધુમાં તેમણે કહ્યું કે, “શિવજયંતિના અવસર પર અદ્વિતીય સાહસના પ્રતિક, છત્રપતિ શિવાજી મહારાજને કોટિ-કોટિ નમન.”