વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નાઈજીરીયાના (Nigeria) રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુને સિલોફર પંચામૃત કળશ (Silofar Panchamrit Kalash) ભેટમાં આપ્યું હતું. આ કળશ કોલ્હાપુર, મહારાષ્ટ્રની પરંપરાગત કારીગરીનું અદ્ભુત ઉદાહરણ છે.
PM Narendra Modi gifted the President of Nigeria a Silofar Panchamrit Kalash (Pot) which is a stunning example of traditional craftsmanship from Kolhapur, Maharashtra.
— ANI (@ANI) November 18, 2024
This Silofar Panchamrit Kalash is made from high-quality silver, shaped with skill and precision. It features… pic.twitter.com/pPgZigQEzP
સિલોફર પંચામૃત કળશ ઉચ્ચ ગુણવત્તાની ચાંદીથી બનેલું હોય છે, જે કૌશલ્ય અને ચોકસાઇ સાથે આકાર લે છે. તે કોલ્હાપુરના પ્રખ્યાત ધાતુકામની લાક્ષણિકતાવાળી ભવ્ય કોતરણી દર્શાવે છે, જેમાં ફૂલો, દેવતાઓની છબીઓ અને કોલ્હાપુરની પરંપરાગત રચનાઓ સહિતના આકાર હોય છે. કળશનું હેન્ડલ અને ઢાંકણ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેનો ધાર્મિક કે અન્ય સમારંભો દરમિયાન સરળતાથી ઉપયોગ કરી શકાય. પંચામૃત કે જે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું પવિત્ર મિશ્રણ હોય છે તેને સાયલોફર કળશ દ્વારા પીરસવામાં આવે છે.