Sunday, July 13, 2025
More

    ત્રિનિદાદ અને ટોબેગોએ પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા, આ પુરસ્કાર મેળવનારા પહેલા વિદેશી નેતા

    ત્રિનિદાદ અને ટોબેગોની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય સમયાનુસાર શુક્રવારે મોડી રાત્રે તેમને ‘ઓર્ડર ઑફ ધ રિપલ્બિક ઑફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો’ એનાયત કરવામાં આવ્યો. વડાપ્રધાને 140 કરોડ ભારતીયો વતી સન્માન સ્વીકાર્યું હતું. 

    ત્રિનિદાદ અને ટોબેગોનાં વડાંપ્રધાન કમલા પ્રસાદ બિસેસરે પીએમ મોદીને આ સન્માન આપવાની ઘોષણા કરી હતી. આ પુરસ્કાર વૈશ્વિક ભાગીદારી, ભારતીય સમુદાય સાથે દેશનો એક ઘનિષ્ઠ સંબંધ અને કોરોના મહામારી દરમિયાન ભારત સરકારે કરેલી માનવીય મદદ બદલ આભાર વ્યક્ત કરવા માટે એનાયત કરવામાં આવ્યો. 

    ખાસ વાત એ છે કે આ પુરસ્કાર મેળવનારા વડાપ્રધાન મોદી પહેલા વિદેશી નેતા છે. આ પહેલાં ઘાનાની યાત્રા દરમિયાન પણ તેમને ત્યાંના સર્વોચ્ચ નાગિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

    અત્યાર સુધી 25 દેશો વડાપ્રધાનને સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરી ચૂક્યા છે.