પીએમ મોદી (PM Modi) બિહારની (Bihar) મુલાકાત પર પહોંચ્યા છે. સિવાનમાં તેમણે રાજ્યને ₹10,000 કરોથી વધુની અલગ-અલગ વિકાસ પરિયોજનાની ભેટ પણ આપી છે. આ દરમિયાન તેમણે ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. જેનો હેતુ બિહારના ઇન્ફ્રાસ્ટ્રકચર અને સામાન્ય લોકોના જીવન સ્તરમાં સુધારો કરવાનો છે.
આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત પણ કરી છે. સભાને સંબોધિત કરતા તેમણે RJD-કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, બિહારની દુર્દશા પાછળ ‘ફાનસ અને પંજો’ જવાબદાર છે. તેમણે કહ્યું કે, “જે બિહારે સદીઓ સુધી ભારતની પ્રગતિનું નેતૃત્વ કર્યું હતું, તેને પંજા અને ફાનસે મળીને પલાયનનું પ્રતિક બનાવી દીધું છે.”
बिहार के सर्वांगीण विकास के लिए डबल इंजन सरकार प्रतिबद्ध है। आज सिवान से हजारों करोड़ रुपये की परियोजनाओं का शिलान्यास-लोकार्पण कर अत्यंत प्रसन्न हूं। https://t.co/Jh75fgXpwB
— Narendra Modi (@narendramodi) June 20, 2025
વધુમાં પીએમ મોદીએ લાલુ યાદવને પણ આડેહાથ લીધા હતા. તેમણે લાલુ પ્રસાદનું નામ લીધા વિના કહ્યું હતું કે, “RJD અને કોંગ્રેસના નેતાઓ દેશના બંધારણના નિર્માતાની તસવીરને પોતાના પગ પાસે રાખે છે. હું તેમની તસવીરને મારા દિલમાં રાખું છું. RJD ક્યારેય આ ઘટના માટે માફી નહીં માંગે, કારણ કે તેમના મનમાં દલિતો અને વંચિતો માટે કોઈ સન્માન નથી.”
ये ‘चित्र’ नहीं, आरजेडी का ‘चरित्र’ है।#ShameOnLaluFamily #DalitVirodhiRJD #BabasahebAmbedkar pic.twitter.com/iP9BNBYkGb
— BJP Bihar (@BJP4Bihar) June 15, 2025
નોંધનીય છે કે, તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, RJD પ્રમુખ લાલુ યાદવ એક ખુરશી પાસે બાબાસાહેબ આંબેડકરની તસવીર રાખે છે અને ત્યારબાદ તે ખુરશી પર જ પગ રાખે છે. આ વિડીયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું હતું. આ જ ઘટનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કટાક્ષ કર્યો છે.