Wednesday, May 14, 2025
More

    ‘પહલગામ આતંકવાદી હુમલાની તપાસ માટે ન્યાયિક કમિશન રચવામાં આવે’: મોહમ્મદ જુનૈદની PIL પર આવતીકાલે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

    પહલગામ આતંકવાદી હુમલા મામલે ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. 

    અહેવાલો એવા છે કે સર્વોચ્ચ ન્યાયાલય ગુરુવારે (1 મે) આ મુદ્દે સુનાવણી હાથ ધરશે. 

    આ જાહેરહિતની અરજી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં માંગ કરવામાં આવી છે કે 22 એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલાની તપાસ માટે એક ન્યાયિક કમિશનની રચના કરવામાં આવે. 

    અરજીમાં એ પણ માંગ કરવામાં આવી છે કે કાશ્મીર આવતા અન્ય પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશને નિર્દેશો આપવામાં આવે. 

    અરજી કાશ્મીરના રહેવાસી મોહમ્મદ જુનૈદ દ્વારા દાખલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. સાથે ફતેશ અને વિકી કુમાર નામના બીજા બે અરજદારો પણ છે. 

    જાહેરહિતની આ અરજી જસ્ટિસ સૂર્યકાંત અને એન કોટેશ્વર સિંઘની બેન્ચ સાંભળશે.