પહલગામ આતંકવાદી હુમલા મામલે ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.
અહેવાલો એવા છે કે સર્વોચ્ચ ન્યાયાલય ગુરુવારે (1 મે) આ મુદ્દે સુનાવણી હાથ ધરશે.
The Supreme Court will hear tomorrow, 1st May a PIL (public interest litigation) plea seeking constitution of a judicial commission over the April 22 #PahalgamTerroristAttack.
— ANI (@ANI) April 30, 2025
The plea also seeks directions to the Central government and the Union Territory of Jammu & Kashmir for…
આ જાહેરહિતની અરજી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં માંગ કરવામાં આવી છે કે 22 એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલાની તપાસ માટે એક ન્યાયિક કમિશનની રચના કરવામાં આવે.
અરજીમાં એ પણ માંગ કરવામાં આવી છે કે કાશ્મીર આવતા અન્ય પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશને નિર્દેશો આપવામાં આવે.
અરજી કાશ્મીરના રહેવાસી મોહમ્મદ જુનૈદ દ્વારા દાખલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. સાથે ફતેશ અને વિકી કુમાર નામના બીજા બે અરજદારો પણ છે.
જાહેરહિતની આ અરજી જસ્ટિસ સૂર્યકાંત અને એન કોટેશ્વર સિંઘની બેન્ચ સાંભળશે.