Wednesday, May 14, 2025
More

    ‘નવા સંચાર નિયમો હેઠળ સરકાર સોશિયલ મીડિયા અને ફોન કોલ્સ પર રાખશે નજર’: સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફર્જી મેસેજ, જાણો હકીકત

    તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહેલા એક મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત સરકાર હવે નવા સંચાર નિયમો હેઠળ સોશિયલ મીડિયા અને ફોન કૉલ પર નજર રાખશે. 

    પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારે આવો કોઈ નિયમ લાગુ કર્યો નથી અને જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે સદંતર ખોટો છે. 

    વોટ્સએપ ઉપર વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નવા નિયમો અનુસાર તમામ કોલ રેકોર્ડ કરવામાં આવશે અને વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર સહિતનાં સોશિયલ મીડિયા માધ્યમો ઉપર પણ નજર રાખવામાં આવશે. સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે, કોઈ પણ રાજનીતિક કે ધાર્મિક મુદ્દે કશુજ લખવું એ ગુનો છે અને તેના કારણે વોરન્ટ વગર ધરપકડ થઈ શકે તેમ છે. 

    આ બધી વાતો ફર્જી છે. સરકાર આવો કોઈ નિયમ લાવી નથી. PIB દ્વારા પણ આ મામલે ફેક્ટચેક કરીને સાચી જાણકારી આપવામાં આવી છે તેમજ નાગરિકોને અફવામાં ન આવવા માટે વિનંતી કરવામાં આવી છે.