Wednesday, May 21, 2025
More

    રાજસ્થાનના જેસલમેરમાં જીવતો પકડાયો પાકિસ્તાની પાયલોટ, ભારતીય સેનાએ ધ્વસ્ત કર્યું હતું F-16 ફાઈટર જેટ

    આતંકી પાકિસ્તાને પોતાની અવળચંડાઈ સતત ચાલુ રાખી છે. ભારત પર મિસાઈલો, ડ્રોન અને ફાઇટર જેટથી હુમલો કરવાની નાપાક હરકત કર્યા બાદ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે. તેવામાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજસ્થાનના જેલસમેરમાં ભારતે એક પાકિસ્તાની પાયલોટને જીવતો પકડી લીધો છે.

    જાણવા મળી રહ્યું છે કે, તેનું ફાઇટર જેટ ધ્વસ્ત થયા બાદ તે નીચે પડ્યો હતો. જે બાદ સુરક્ષાદળોએ તેને જીવતો પકડી લીધો છે. હાલ તે વિશેની કોઈ વધુ વિગતો સામે આવી શકી નથી. પરંતુ ભારતે પાકિસ્તાનના પાયલોટને જીવતો પકડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.

    આ પહેલાં ભારતની એર ડિફેન્સ સિસ્ટમે વિવિધ સ્થળોએ પાકિસ્તાનની 8 મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દીધી હતી. તે સિવાય 3 ફાઇટર જેટ અને અનેકો ડ્રોનને પણ હવામાં જ ઉડાવી દેવામાં આવ્યા હતા.