Thursday, May 15, 2025
More

    17 વર્ષ પહેલાં પાકિસ્તાનથી આવ્યો હતો ઓસામા, અહીં બનાવી લીધા આધાર-રાશન કાર્ડ; કહ્યું– મેં વૉટ પણ આપ્યો હતો

    આતંકવાદી પાડોશી પાકિસ્તાને પહલગામમાં નિર્દોષ હિંદુઓ સહિતના પ્રવાસીઓનો નરસંહાર કર્યા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરીને દેશમાંથી તગેડી મૂકવાનું અભિયાન ઉપાડ્યું છે. તેના કારણે અમુક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તાજો દાખલો એક ઓસામા નામના ઈસમનો છે, જે 17 વર્ષથી અહીં રહેતો હતો અને આશ્ચર્યની વાત એ છે કે તેની પાસે ઓળખપત્રો પણ છે. 

    ઓસામા ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કહે છે કે તે રાવલપિંડીનો છે. અહીં તે બેચલર્સ ઇન કોમ્પ્યુટર સાયન્સ કરે છે. તે કહે છે કે વર્ષ 2008માં ભારત આવ્યો હતો. જોકે દાવો કરે છે કે કાયદેસર રીતે પાકિસ્તાનના પાસપોર્ટ પર આવ્યો હતો. અહીં આવતાં જ વિઝા સ્ટે કરાવ્યા હતા. આગળ તે સરકારને ‘પ્રેક્ટિકલ’ બનવાની સલાહ આપે છે અને કહે છે કે અમુક સમય આપવામાં આવે. 

    આગળ તે ઘટસ્ફોટ કરતા કહે છે કે, તેમની પાસે અહીં આધાર કાર્ડ, રાશન કાર્ડ બધું જ છે અને વૉટ પણ આપ્યો હતો. તે કહે છે, “મારું 10-12 અહીં જ થયું છે. બેચલર્સ ચાલી રહ્યું છે. મારા બધા દસ્તાવેજો અહીં જ બન્યા છે. મારું ઉદાહરણ લો, હું ક્યાં જઈશ? ત્યાં મારું શું ભવિષ્ય છે?’