પહલગામ આતંકી હુમલા બાદ શુક્રવારે (25 એપ્રિલ) લંડનમાં પાકિસ્તાન ઉચ્ચાયોગ બહાર ભારતીય મૂળના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહેલા ભારતીયોની સામે પાકિસ્તાનીઓ પણ આવીને ઊભા રહી ગયા હતા અને પહલગામ હુમલાનો વિરોધ કરી રહેલા ભારતીયો સામે નાચવા લાગ્યા હતા. દરમિયાન એક પાકિસ્તાની અધિકારીએ ભારતીયોને ગળાં કાપવાની ધમકી પણ આપી હતી.
શાંતિપૂર્ણ પ્રદર્શન તે સમયે વિવાદનો વિષય બની ગયો હતો, જ્યારે પાકિસ્તાની સેનાનો એક અધિકારી ગળાં કાપવાના ઇશારા કરવા લાગ્યો હતો. ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, પાકિસ્તાની હાઇકમિશનમાં વાયુસેનાનો સલાહકાર ‘કર્નલ’ તૈમુર રાહત ભારતીયોને ગળાં કાપવાની ધમકી આપી રહ્યો છે.
#BREAKING: Pakistan Army Defence Attache in London gestures towards Indian protestors to slit their throat publicly. This is Colonel Taimur Rahat of Pakistan Army, Air and Army Attache at Pakistan’s Mission in UK. No difference between a thug illiterate terrorist at this coward. pic.twitter.com/eZdRxqBN4q
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 25, 2025
પાકિસ્તાન હાઇકમિશનની બહાર એકઠા થયેલા લોકોમાં મોટાભાગના ભારતીયો હતો અને તેમની સાથે યહૂદી સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો. તે દરમિયાન પાકિસ્તાની અધિકારી હાથમાં વિંગ કમાન્ડર અભિનંદનનું પોસ્ટર લઈને આવ્યો હતો અને ભારતીયોને ગળાં કાપવાની ધમકીભર્યા ઇશારા કરવા લાગ્યો હતો.
પ્રદર્શનમાં સામેલ એક યહૂદી પરદર્શનકારીએ ANIને કહ્યું કે, “અમે ભારતનું સમર્થન કરીએ છીએ, કારણ કે અમે એક જ દુશ્મનનો સામનો કરી રહ્યા છીએ. જે છે ઇસ્લામી કટ્ટરપંથ.” વધુમાં અન્ય પ્રદર્શનકારીઓએ પણ પાકિસ્તાની સેનાની આતંકી માનસિકતાની ટીકા કરી હતી. એક વ્યક્તિએ કહ્યું હતું કે, “આ માત્ર અસંવેદનશીલતા નથી, પરંતુ ઉશ્કેરણીજનક કાર્યવાહી છે. જો પાકિસ્તાન આતંકવાદની નિંદા નથી કરી શકતું તો તે પણ તેમાં સામેલ છે.”