પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ (Bilawal Bhutto Zardari) ભડકાઉ નિવેદન આપ્યું હતું. હવે ફરી એકવાર તેમની પાર્ટીએ ભારત વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું છે. હવે તેમની પાર્ટી પીપીપીના (પાકિસ્તાન પીપલ્સ પાર્ટી-PPP) સાંસદ પલવાશા મોહમ્મદ ઝાઈ ખાનના (Palwasha Mohammad Zai Khan) નિવેદનની ટીકા થઈ રહી છે.
भारत और पाकिस्तान के बीच बढ़े तनाव के बीच पाकिस्तानी संसद की सीनेटर पलवाशा मोहम्मद जई खान का बड़ा बयान। कहा- 'अयोध्या में नई बाबरी मस्जिद की पहली ईंट पाक सेना के जवान रखेंगे और पहली अजान पाक सेना प्रमुख मुनीर करेंगे'#PahalgamTerroristAttack #Pahalgam #PakistanArmy #Pakistan… pic.twitter.com/9eiMPRv1DY
— Zee Business (@ZeeBusiness) April 30, 2025
તેમણે જાહેરાત કરી છે કે ભારતમાં બાબરી મસ્જિદની પહેલી ઈંટ પાકિસ્તાની સેનાના સૈનિકો દ્વારા નાખવામાં આવશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે બાબરી મસ્જિદમાંથી પહેલી અઝાન પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર દ્વારા આપવામાં આવશે. નોંધનીય છે કે એક સમયે બાબરના સેનાપતિ મીર બાકીએ રામ મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવી હતી. ડિસેમ્બર 1992માં, હિંદુઓએ કાર સેવા કરીને બાબરી ઢાંચાને તોડી પાડ્યો, ત્યારબાદ 2019માં, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, ત્યાં રામ મંદિર બનાવવામાં આવ્યું.
પલવાશા ખાને કહ્યું કે પાકિસ્તાનીઓ બંગડીઓ પહેરતા નથી, સમય આવશે ત્યારે તેઓ જવાબ આપશે. તેમણે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની પણ પ્રશંસા કરી અને તેમને ‘હિંમતવાન અવાજ’ કહ્યા. તેમણે ધમકી આપી હતી કે આપણે 25 કરોડ લોકો છીએ અને જ્યારે સમય આવશે ત્યારે આપણે ‘અલ્લાહના સૈનિકો’ બનીશું.
તેમણે પન્નુને શીખોના નેતા તરીકે વર્ણવ્યા.