ઑપરેશન સિંદૂરથી ઘભરાયેલા પાકિસ્તાને ભારતના અનેક માનવવસ્તી ધરાવતા શહેરોને ટાર્ગેટ કરવાનું કાયર કૃત્ય કર્યું હતું, જેનો યોગ્ય જવાબ ભારતીય સેનાએ પણ આપ્યો હતો. જે બાદ આજે વિદેશ મંત્રાલયે આ એક પ્રેસ કોન્ફરન્સ (MEA press conference) યોજી હતી. આ સમયગાળા દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાનના દુષ્ટ ચહેરા અને ઇરાદાઓનો પર્દાફાશ કર્યો. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે મળીને 8-9 મેની રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ વિશે માહિતી આપી.
પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ લશ્કરી માળખાને નિશાન બનાવવાના ઈરાદાથી ભારતીય વિસ્તારો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાને 36 સ્થળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. પાકિસ્તાન દ્વારા 300થી 400 ડ્રોન મોકલવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ડ્રોન તુર્કીમાં (Turkish-made drones) બનેલા હતા. આ તણાવપૂર્ણ પરિસ્થિતિ અને ભારતના બદલાની શક્યતા હોવા છતાં, પાકિસ્તાને પોતાનું નાગરિક હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નહીં. તે તેનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યો છે. ભારતે બદલો લીધો અને તેમની બીજી હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો.
VIDEO | MEA (@MEAIndia) Press Briefing: Colonel Sofiya Qureshi says, "On the intervening night of May 8 and May 9, Pakistani army tried to attack military installations on the western borders. From Leh to Sir Creek, Pakistani army used drones for infiltration."#OperationSindoor… pic.twitter.com/NOm4xmAdWk
— Press Trust of India (@PTI_News) May 9, 2025
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, “7 મેના રોજ રાત્રે 8:30 વાગ્યે કોઈ ઉશ્કેરણી વિના અસફળ ડ્રોન અને મિસાઇલ હુમલો કરવા છતાં પાકિસ્તાને તેના નાગરિક હવાઈ ક્ષેત્રને બંધ કર્યું ન હતું. પાકિસ્તાન નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું છે, તે સારી રીતે જાણે છે કે ભારત પર તેના હુમલાથી ઝડપી હવાઈ સંરક્ષણ પ્રતિક્રિયા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઉડતા આંતરરાષ્ટ્રીય વિમાનો સહિત તમામ નાગરિક વિમાનો માટે તે સલામત નથી.”
તેઓએ એક ડોક્યુમેન્ટ બતાવતા કહ્યું, “અમે તમને એક સ્ક્રીનશોટ પણ બતાવી રહ્યા છીએ, જેમાં પંજાબ સેક્ટરમાં ઉચ્ચ હવાઈ સંરક્ષણ ચેતવણીની પરિસ્થિતિ દરમિયાન એપ્લિકેશન ફ્લાઇટ રડાર 24માંથી ડેટા દર્શાવવામાં આવ્યો છે. જેમ તમે નોંધ્યું હશે, આપણે એરસ્પેસ બંધ કર્યું હોવાના કારણે ભારતીય બાજુનું હવાઈ ક્ષેત્ર નાગરિક હવાઈ ટ્રાફિકથી સંપૂર્ણપણે ખાલી છે. જોકે, કરાચી અને લાહોર વચ્ચેના હવાઈ માર્ગ પર નાગરિક વિમાનો ઉડાન ભરી રહ્યા છે. ભારતીય વાયુસેનાએ તેના પ્રતિભાવમાં ખૂબ જ સંયમ દાખવ્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાનવાહકોની સલામતી સુનિશ્ચિત થઈ છે.”