પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીરના પહલગામમાં કરેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ છે ત્યારે તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા રાજસ્થાન સરહદેથી એક પાકિસ્તાની રેન્જરની અટકાયત કરવામાં આવી છે. તે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી ગયો હતો. પછીથી કસ્ટડીમાં લેવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલાં કાશ્મીર સરહદ પર BSFના એક જવાન સ્થાનિકોને મદદ કરવા જતાં સરહદ પાર કરી ગયા હતા અને પાકિસ્તાનીઓએ તેમને પકડી લીધા હતા. તેમને પરત કરવા માટે ફ્લેગ મીટિંગો થઈ છે, પરંતુ અવળચંડા પાકિસ્તાનીઓ વિલંબ કરી રહ્યા છે. બીજી તરફ હવે તેમનો પણ એક માણસ ભારતના કબજામાં છે.
પાકિસ્તાની BSF જવાન પણ લગભગ અઠવાડિયાથી ભારતની કસ્ટડીમાં છે તેવું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. જોકે જાણકારી તાજેતરમાં જ સામે આવી.
નોંધવું જોઈએ કે આ રીતે આકસ્મિક રીતે સરહદ પાર કરવાના કિસ્સાઓ અસામાન્ય બાબત નથી. તેમાં નાગરિકો અને જવાનો બંનેનો સમાવેશ થાય છે. મોટેભાગે બંને દેશો વચ્ચે બેઠક કરીને સૈન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તેમને જે-તે દેશને પરત સોંપી દેવામાં આવે છે.