પહલગામ આતંકી હુમલાના (Pahalgam Terrorist Attack) કારણે સમગ્ર દેશમાં આક્રોશ વ્યાપેલો છે, ભારતે પાકિસ્તાન તરફ કડક વલણ દાખવીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ લીધા છે. આ જ દરમિયાન સામે આવ્યું છે કે પાકિસ્તાન તેની નાપાક હરકતોમાંથી ઊંચું આવી રહ્યું નથી. અહેવાલ અનુસાર પાકિસ્તાને LoC પર અનેક ચોકીઓ પર ગોળીબાર (Fringing At LoC) કર્યો છે. જેનો ભારતે પણ વળતો જવાબ આપ્યો છે.
આજતકના અહેવાલ અનુસાર એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ નાના હથિયારોથી સરહદ પર હુમલો કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલા કોઈ ઉશ્કેરણી વિનાના ગોળીબારનો સેનાએ જવાબ આપ્યો છે
અહેવાલ મુજબ નિયંત્રણ રેખા પર ઘણી પાકિસ્તાની ચોકીઓએ ગોળીબાર કર્યો હતો પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે બીજી તરફ બાંદીપોરા સહિત જમ્મુ કશ્મીરના ઘણા સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ પહલગામ આતંકી હુમલામાં સામેલ 2 આતંકીઓ આસિફ અને આદિલના ઘર પણ તબાહ કરી દીધા છે.