પહલગામ ઈસ્લામી આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરવા માટે ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું છે તો બીજી તરફ પાકિસ્તાની સેનાએ પૂંછ-રાજૌરી વિસ્તારમાં સરહદ પર યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
Pakistan again violates the Ceasefire Agreement by firing Artillery in Bhimber Gali in Poonch- Rajauri area.#IndianArmy is responding appropriately in a caliberated manner. pic.twitter.com/Bo7Cf8ISzn
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 6, 2025
ભારતીય સેનાએ આ બાબતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, પાકિસ્તાની સેના ભીમ્બર ગલી વિસ્તારમાં ગોળીબાર કરી રહી છે. જેનો ભારતીય સેના દ્વારા એટલી જ તીવ્રતાથી જવાબ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડી મિનિટો પહેલાં જ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા અને આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યાં. ઑપરેશનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર જે વિડીયો સામે આવ્યા છે, તેમાં આતંકવાદી ઠેકાણાં પર મિસાઈલ હુમલાઓ થતા જોવા મળે છે.