ભારત સાથે વધતા તણાવ અને પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સેનામાં (Pakistani Army) ભયંકર સંકટ ઊભું થયું છે. એક સપ્તાહની અંદર 4,500થી વધુ સૈનિકો અને 250 અધિકારીઓએ રાજીનામું (Resignation) આપી દીધું છે, જેના કારણે પાકિસ્તાની સેના હવે સૈનિકોની ભારે તંગીનો સામનો કરી રહી છે. આ સ્થિતિમાં પાકિસ્તાની સેનાએ હવે આદિવાસી લડવૈયાઓની ભરતી કરવા માટે તાત્કાલિક જાહેરાત બહાર પાડવી પડી છે.
X પર કરવામાં આવેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે “ભારતની ખૌફથી પાકિસ્તાની સૈનિકો થરથર કાંપી રહ્યા છે. દિવસે નથી પડતા એટલા રાજીનામા રાત્રે પડી રહ્યા છે.” આ પોસ્ટમાં એક ગુપ્ત પત્રનો પણ ઉલ્લેખ છે, જેમાં લખવામાં આવ્યું છે કે પશ્તુન સૈનિકોના ધડાધડ રાજીનામા બાદ પાકિસ્તાની સેનામાં સૈનિકોની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જેના માટે આદિવાસી લડાકુઓની ભરતી જલ્દીમાં જલ્દી કરવાની વાત કહેવાઈ છે.
પાકિસ્તાની સેનામાં પશ્તૂન સૈનિકોનું સામુહિક રાજીનામું#IndiaPakistanTensions | #PahalgamTerroristAttack pic.twitter.com/7nX7uMeJc1
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 4, 2025
અહેવાલો અનુસાર, માત્ર બે દિવસમાં 4,500 સૈનિકો અને 250 અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે. ખાસ કરીને પાકિસ્તાનની પશ્ચિમ સરહદ પર તૈનાત 12મા કોર્પ્સમાંથી 200 અધિકારીઓ અને 600 સૈનિકો, નોર્થર્ન કમાન્ડ એરિયામાંથી 100 અધિકારીઓ અને 500 સૈનિકો, તેમજ લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર મંગલ કોર્પ્સમાંથી 75 અધિકારીઓ અને 500થી વધુ સૈનિકોએ પોતાની પોસ્ટ છોડી દીધી છે.