પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતે આટલી ફટકાર લગાવ્યા બાદ પણ પાકિસ્તાન (Pakistan) સુધરવાનું નામ લઈ રહ્યું નથી. પાકિસ્તાની સેના (Pakistan Army) વારંવાર LoC પર ગોળીબાર (Firing) કરતી હોય છે. ત્યારે તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર 5-6 મેની રાત્રે પણ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાની સેનાએ ફરી એકવાર શાંતિ ભંગ કરી છે.
ANIના અહેવાલ અનુસાર 05-06 મે 2025ની રાત્રે પાકિસ્તાની સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પુંછ, રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પરની ચોકીઓ પરથી નાના હથિયારો વડે ગોળીબાર શરૂ કર્યો હતો.
05-06 मई 2025 की रात को, पाकिस्तानी सेना ने जम्मू-कश्मीर के कुपवाड़ा, बारामुल्ला, पुंछ, राजौरी, मेंढर, नौशेरा, सुंदरबनी और अखनूर के आसपास के इलाकों में नियंत्रण रेखा के पार चौकियों से बिना उकसावे के छोटे हथियारों से गोलीबारी की। भारतीय सेना ने भी उचित तरीके से जवाब दिया: भारतीय…
— ANI_HindiNews (@AHindinews) May 6, 2025
આ અણધારી ગોળીબારીનો ભારતીય સેનાએ યોગ્ય રીતે જવાબ આપ્યો હતો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, તેમણે પાકિસ્તાનના આ હુમલાનો કડક અને સંયમિત રીતે પ્રતિકાર કર્યો. આ ઘટના નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચેના તણાવને વધુ ગાઢ બનાવે તેવી શક્યતા છે, કારણ કે તાજેતરમાં જ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે સંબંધો તંગ બન્યા છે.
આ ઘટના પહેલાં પણ પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રણ રેખા પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં પણ પાકિસ્તાની સેનાએ કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓથી શરૂઆત કરીને પુંછ, અખનૂર, સુંદરબની અને નૌશેરા સેક્ટરોમાં ગોળીબાર કર્યો હતો. આ ઉપરાંત, જમ્મુના પરગવાલ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પણ ગોળીબાર થયો હતો.