સંરક્ષણ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ગઈકાલ રાતથી જમ્મુ કાશ્મીરના પૂંછ (Poonch) અને તંગધારમાં (Tangdhar) નાગરિક વિસ્તારો પર પાકિસ્તાની સેના (Pakistan Army) દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બાળકો સમેત 15 નિર્દોષ નાગરિકો (innocent civilians killed) માર્યા ગયા છે અને 43 ઘાયલ થયા છે.
પાકિસ્તાની સેનાએ સરહદી વિસ્તારોમાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ગોળીબારથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા ઘરોને નુકસાન થયું હતું.
Heart Breaking 💔 visuals from #Poonch
— Arun Pudur (@arunpudur) May 7, 2025
🇵🇰 Punjabi Muslims killing Kashmiri Elders and Children.
Just like how they didn't care about Bengali Muslims in East Pakistan, this Pakistani Punjabis don't care about Kashmiris.
pic.twitter.com/oF6bZNMkAc
ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાની સેનાએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ રાખ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબારથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો અને અનેક ઘરોને નુકસાન થયું હતું.
પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારથી ઘણા ઘરોને નુકસાન થયું છે, બારીના કાચ તૂટી ગયા છે અને દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ સરહદી વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિ પર અધિકારીઓ સાથે એક કટોકટી બેઠક યોજી હતી.