22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે ઇસ્લામિક આતંકીઓએ (Pahalgam Terrorist Attack) હુમલો કર્યો અને પસંદગીપૂર્વક હિંદુઓ પર હુમલો કર્યો, તેમના પર ગોળીબાર કર્યો. આ હુમલામાં 4 આતંકીઓએ ગોળીબાર કર્યું હોવાનું સામે આવ્યું છે. હવે ટાઈમ PoK એંગલ સામે આવ્યો છે.
હવે સામે આવેલ અહેવાલ અનુસાર આ ચારમાંથી 2 આતંકીઓની ઓળખ થઈ ચૂકી છે. Zee ન્યુઝના અહેવાલ અનુસાર આ હુમલાનું ષડ્યંત્ર POKમાં રચાયું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ 2 આતંકીઓનું નામ આદીલ ગૌરી અને આસિફ શેખ હોવાનું સામે આવ્યું છે.
#BREAKING : PoK में रची गई पहलगाम हमले की साजिश, 2 आतंकियों की हुई पहचान, आदिल गौरी और आसिफ शेख शामिल #Hindus #PoK #PMModi #PahalgamTerroristAttack #JammuAndKashmir | #ZeeNews@CHANDANS_LIVE pic.twitter.com/tkWIbONa6b
— Zee News (@ZeeNews) April 23, 2025
આ સિવાયના આતંકીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં 6થી 8 આતંકીઓ સામેલ હતા. Zee ન્યુઝના અહેવાલમાં એક વિડીયોનો પણ સમાવેશ છે જેમાં પાકિસ્તાનના જનરલ અસરમુનીર હિંદુસ્તાન વિરોધી નિવેદન આપે છે.
આ વિડીયોમાં સંભળાઈ રહ્યું છે કે જનરલ કહી રહ્યો છે કે રામ-રામ બોલનારાને ખત્મ કરી દેવામાં આવશે. આ વિડીયો POKનું હોવાનું કહેવાઈ રહ્યું છે. Zeeના અહેવાલ મુજબ મુનીરે ભડકાઉ ભાષણ આપ્યા બાદ પહલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે તાજા અહેવાલો મુજબ પાકિસ્તાને વણમાંગી સફાઈ આપતા કહ્યું છે કે, આ આતંકી હુમલામાં તેમનો કોઈ હાથ નથી અને તેઓએ કાંઈ કર્યું નથી.