પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે મંગળવારના (20 મે, 2025) રોજ પહલગામ આતંકવાદી હુમલાના (Pahalgam Terror Attack) પીડિતોને ‘શહીદ’ દરજ્જો આપવાની માંગ કરતી જાહેર હિતની અરજને (PIL) ફગાવી દીધી છે. વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હુમલાના સ્થળને ‘શહીદ હિંદુ ઘાટી પર્યટન સ્થળ’ (Shaheed Hindu Valley Tourist Place) તરીકે જાહેર કરવા માટે નિર્દેશોની પણ માંગ કરવામાં આવી હતી.
#BREAKING: The Punjab and Haryana High Court has dismissed a PIL seeking 'martyr' status for 26 tourists killed in the Pahalgam terror attack and to name the site a ‘Shaheed Hindu Valley Tourist Place’. pic.twitter.com/d3FwF7oEUl
— IANS (@ians_india) May 20, 2025
મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ અને ન્યાયાધીશ સુમિત ગોયલની બેન્ચે કહ્યું કે આ મામલો સરકારના નીતિ કાર્યક્ષેત્રમાં આવે છે અને કોર્ટ તેમાં દખલ કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે કોઈ સ્થળને સ્મારક તરીકે જાહેર કરવું કે મૃતકોને શહીદનો દરજ્જો આપવો એ રાજ્ય સરકારનો નીતિગત નિર્ણય છે.
રાજ્ય સરકાર સમક્ષ કરો માંગ
કોર્ટે અરજદારને રાજ્ય સરકાર સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરવાની મંજૂરી આપી, જેના પર સરકાર શક્ય તેટલી વહેલી તકે કાયદા મુજબ વિચાર કરશે. હાલ કોર્ટે આ અરજીનો નિકાલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા, ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.