22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલ આતંકી હુમલાને (Pahalgam Terrorist Attack) પગલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) મોટા નિર્ણય લીધા છે. વર્તમાનમાં IPLનું આયોજન પણ ચાલી રહ્યું છે ત્યારે BCCIએ 23 એપ્રિલે યોજાનારી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાનારી મેચમાં હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આ નિર્ણય લીધા છે.
અહેવાલ અનુસાર IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં ફટાકડાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આ નિર્ણય શોકની ક્ષણોમાં ઉજવણીના માહોલને ટાળવા માટે લેવાયો છે. આ સિવાય આજની મેચમાં ચીયરલીડર્સને સામેલ કરવામાં આવશે નહીં. BCCIએ નિર્ણય લીધો છે કે આ ગંભીર પરિસ્થિતિમાં મેચનો માહોલ શાંત અને શોકપૂર્ણ રાખવામાં આવશે.
MI vs SRH: IPL मैच में गाना-बजाना बंद… न होंगी चीयरलीडर्स, पहलगाम हमले से शोक में क्रिकेट जगत, मृतकों को शृद्धांजलि देने काली पट्टी बांध खेलेंगे SRH और MI के खिलाड़ी.
— Zee News (@ZeeNews) April 23, 2025
👉IPL 2025 के बीच पूरा भारत शोक में डूबा है. पहलगाम में हुए आतंकी हमले ने सभी को दहलाकर रख दिया है. इसमें 26… pic.twitter.com/lOgZp8aThe
પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મેચની શરૂઆત પહેલાં પીડિતોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે, જેમાં ખેલાડીઓ અને દર્શકો ભાગ લેશે. આ સિવાય સમગ્ર મેચ દરમિયાન તમામ ખેલાડીઓ તેમના હાથ પર કાળી પટ્ટી બાંધીને મેચ રમશે. BCCIએ આ નિર્ણયો દ્વારા રાષ્ટ્ર સાથે એકતા દર્શાવી છે અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
BCCIએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયો ફક્ત 23 એપ્રિલની મેચ માટે જ લાગુ થશે અને આગામી મેચોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, ટીમ મેનેજરો અને ખેલાડીઓને આ નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.