Friday, May 23, 2025
More

    પહલગામ આતંકી હુમલાના વિરોધમાં પ્રયાગરાજ અને વારાણસીમાં શરૂ થયાં અનુષ્ઠાન: અપાઈ ‘આતંકવાદી સ્વાહા’ના મંત્રોચ્ચાર સાથે 1000 આહુતિ

    22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામ આતંકી (Pahalgam Terrorist Attack) હુમલાના વિરોધમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj) અને વારાણસીમાં (Varanasi) અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે. આ હુમલામાં 26થી 28 હિંદુ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો મૃત્યુ પામ્યા હતા.

    પ્રયાગરાજમાં સ્વામી શ્રી નારાયણાચાર્ય શાંડિલ્યજી મહારાજના નેતૃત્વમાં આતંકવાદ વિરુદ્ધ વિશેષ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. સ્વામીજીએ કહ્યું, “આજથી અમે યજ્ઞ શરૂ કર્યો છે. અમે દરરોજ એક હજાર યજ્ઞ કરીશું. આ યજ્ઞ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આસુરી શક્તિઓ (આતંકવાદી શક્તિઓ)નો નાશ ન થાય.”

    આ અનુષ્ઠાન આતંકવાદના વિનાશ અને મૃતકોના આત્માની શાંતિ માટે યોજાઈ રહ્યો છે. સ્થાનિક સમુદાય અને ધાર્મિક સંગઠનોએ યજ્ઞમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં આતંકવાદની નિંદા અને દેશની એકતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. લોકોએ ‘આતંકવાદી સ્વાહા’ના મંત્રોચ્ચાર સાથે 1000 અહુતિઓ આપી હતી.

    આ ઉપરાંત હુમલાના વિરોધમાં વારાણસીના કાશી વિશ્વનાથ ધામમાં રુદ્ર પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિમાં સેંકડો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. જેઓ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા.

    આતંકવાદી શક્તિઓનો નાશ કરવા અને દેશમાં શાંતિ સ્થાપિત કરવા માટેભગવાન શિવને સમર્પિત એક રુદ્ર પાઠ યોજવામાં વ્યો હતો. મંદિર વહીવટીતંત્રે જણાવ્યું હતું કે સ્થાનિક સંતો અને વિદ્વાનોની ભાગીદારી સાથે આ વિધિ કરવામાં આવી રહી છે.