જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની (CCS) બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા અને હુમલાના જવાબમાં લશ્કરી કાર્યવાહી અંગે ચર્ચા થશે. સૂત્રો અનુસાર, ભારતીય સશસ્ત્ર દળોને આ હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.
PM Modi's strong message to forces: Full operational freedom after Pahalgam terror attack.
— IndiaToday (@IndiaToday) April 30, 2025
PM Modi to chair CCS meeting today. India Today's @AishPaliwal with more details.#News #Pakistan #India #PahalgamTerrorAttack #ITVideo pic.twitter.com/fS9YcwlvPb
CCS બેઠકમાં ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી, નાણામંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં હુમલાની તપાસ, ગુપ્તચર માહિતી અને સંભવિત લશ્કરી જવાબની રણનીતિ પર ચર્ચા થશે. સેનાને આપવામાં આવેલી સ્વતંત્રતા એ સંકેત આપે છે કે ભારત આ હુમલાનો કડક જવાબ આપવા માટે તૈયાર છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવવામાં આવશે. સેના અને ગુપ્તચર એજન્સીઓને હુમલાખોરો અને તેમના સમર્થકોને શોધી કાઢવા આદેશ આપવામાં આવ્યા છે. આ બેઠક બાદ ભારતની લશ્કરી અને રાજદ્વારી કાર્યવાહીની દિશા સ્પષ્ટ થશે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ ઘટના પર નજર રાખી રહ્યું છે અને ભારતના જવાબની રાહ જોવાઈ રહી છે.