ઑપરેશન સિંદૂરથી ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લગભગ 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો હોવાનું સરકારે જણાવ્યું છે. આ જાણકારી સર્વપક્ષીય બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે આપી હોવાનું કહેવાય રહ્યું છે.
આ સિવાય સરકારે જણાવ્યું છે કે ઑપરેશન હજુ પૂર્ણ થયું નથી, જેથી આ આંકડો વધવાની શક્યતાઓ છે.
The government has stated that over 100 terrorists were killed in #OperationSindoor, and the count is still ongoing. The government also mentioned that Operation Sindoor is still underway, making it difficult to provide an exact number. Additionally, the government said that… pic.twitter.com/q1kme1vT68
— ANI (@ANI) May 8, 2025
જોકે સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે હવે પાકિસ્તાન કોઈ ઉશ્કેરણીજનક કારસ્તાન ન કરે ત્યાં સુધી ભારત પોતાના પક્ષેથી કોઈ કાર્યવાહી કરશે નહીં.
ઉલ્લેખનીય છે કે આ લખાય રહ્યું છે ત્યારે પાકિસ્તાનના લાહોર, કરાંચી, રાવલપિંડી વગેરે શહેરોમાં ડ્રોન હુમલાના સમાચારો સામે આવી રહ્યા છે. આ મામલે બંને દેશોની સેનાઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.